________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૫૩) ૯૨ પ્ર. કષાય કોને કહે છે?
ઉ. મિથ્યાત્વ અને ક્રોધ-માન-માયા-લોભારૂપ આત્માની વિભાવપરિણતિને કષાય કહે છે. ૯૩ પ્ર. ચારિત્રના કેટલા ભેદ છે?
ઉ. ચાર ભેદ છે-સ્વરૂપાચરણ ચારિત્ર, દેશચારિત્ર, સકલ ચારિત્ર અને યથાખ્યાતચારિત્ર. ૯૪ પ્ર. સ્વરૂપાચરણ ચારિત્ર કોને કહે છે?
ઉ. નિશ્ચયસમ્યગ્દર્શન થતાં આત્માનુભવપૂર્વક આત્મસ્વરૂપમાં જે સ્થિરતા થાય છે તેને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે. (અવિરત સમ્યગ્દષ્ટિને પણ મોક્ષના કારણરૂપ જઘન્ય ચારિત્ર (સ્વરૂપાચરણ) હોય છે. -(પુ. સિ ગા. ૧૭ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com