________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૫૨ )
નાશ કરે છે તેટલા અંશે તે જૈન છે. વાસ્તવમાં જૈનત્વનો પ્રારંભ નિશ્ચયસમ્યગ્દર્શનથી જ થાય છે.
૯૧ પ્ર. ચારિત્ર કોને કહે છે?
ઉ. નિશ્ચયસમ્યગ્દર્શન સહિત સ્વરૂપમાં ચરણ કરવું ( રમવું ); પોતાના સ્વભાવમાં અકષાય પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર છે અને તે ચારિત્ર, મિથ્યાત્વ અને અસ્થિરતા રહિત અત્યંત *નિર્વિકાર એવો જીવનો પરિણામ છે. અને આવી પર્યાયોને ધારણ કરનાર ગુણને ચારિત્ર ગુણ કહે છે.
* [આવાં પરિણામોને સ્વરૂપસ્થિરતા, નિશ્ચલતા, વીતરાગતા, સામ્યધર્મ અને ચારિત્ર કહે છે. આત્માના ચારિત્રગુણની આવી શુદ્ધપર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે બાહ્ય અને અત્યંતર ક્રિયાનો યથાસંભવ નિરોધ થઈ જાય છે.)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com