________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૫૦) પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. આત્મા સદા સ્વ-રૂપ છે અને પર-રૂપે નથી એવી જે દષ્ટિ તે જ ખરી અનેકાન્તદષ્ટિ છે. ૮૮ પ્ર. એક સમયમાં એક જીવને કેટલાં જ્ઞાન હોઈ શકે?
ઉ. એક સમયમાં એક જીવને ઓછામાં ઓછું એક અને વધારેમાં વધારે ચાર જ્ઞાન હોય છે. તેનો ખુલાસો આ રીતે છે–એક કેવળજ્ઞાન જ હોય છે. બે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. ત્રણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન હોય છે. ચાર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com