________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૧૩) મુનિઓના સંઘના અધિપતિ હોય છે.
(૪) શ્રી ઉપાધ્યાયનું સ્વરૂપ:
તેઓ પણ મુનિના ૨૮ મૂળગુણ તથા નિશ્ચય-સમ્યક્દર્શનાદિ સહિત છે, એવી અંતરંગદશા થતાં બાહ્ય દિગમ્બર સૌમ્યમુદ્રાધારી થયા છે, આવા ઉપાધ્યાયના ૨૫ ગુણ-૧૧ અંગ ૧૪ પૂર્વેને પોતે ભણે છે તથા પાસે રહેનાર ભવ્ય જીવોને ભણાવે છે (તે મુનિઓમાં શિક્ષક-અધ્યાપક હોય છે.).
(૫) સર્વ સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ:
જે નિશ્ચયસમ્યગ્દર્શનાદિ સહિત છે. વિરાગી બની સમસ્ત પરિગ્રહુ છોડી, શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડ પોતે પોતાને અનુભવે છે, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિ સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, કોઈને ઇષ્ટ-અનિષ્ટ માની રાગ-દ્વેષ કરતા નથી. હિંસાદિરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com