________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૧૦૭) અભિલાષાસ્વરૂપ જ્ઞાનને ઇહા કહે છે. જેમકે –તે ઠાકુરદાસજી છે. આ જ્ઞાન એટલું કમજોર છે કે કોઈ પણ પદાર્થની ઇહા થઈને છૂટી જાય, તો તેના વિષયમાં કાળાંતરમાં સંશય અને વિસ્મરણ થઈ જાય છે. પ્ર. અવાય કોને કહે છે?
ઉ. ઇહાથી જાણેલા પદાર્થમાં આ તે જ છે, અન્ય નથી-એવા દઢ જ્ઞાનને અવાય કહે છે. જેમ કે તે ઠાકુરદાસજી જ છે, બીજો કોઈ નથી. અવાયથી જાણેલા પદાર્થમાં સંશય તો થતો નથી, પરંતુ વિસ્મરણ થઈ જાય છે. પ્ર. ધારણા કોને કહે છે?
ઉ. જે જ્ઞાનથી જાણેલા પદાર્થમાં કાળાંતરમાં સંશય તથા વિસ્મરણ ન થાય તેને ધારણા કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com