________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૧૦૧) ૧૫ર પ્ર. કષાય કોને કહે છે?
ઉ. મિથ્યાત્વ તથા ક્રોધ, માન, માયા, લોભરૂપ આત્માની અશુદ્ધ પરિણતિને કષાય કહે છે?
(હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ રૂપ આત્માની અશુદ્ધ પરિણતિને નોકષાય કહે છે. )
૧૫૩ પ્ર. યોગ કોને કહે છે?
ઉ. મન, વચન, કાયના આલંબનથી આત્માના પ્રદેશોનું પરિસ્પંદન થવું તેને યોગ કહે છે. (યોગગુણની અશુદ્ધ પર્યાયમાં-કંપનપણાને દ્રવ્યયોગ અને કર્મ, નોકર્મના ગ્રહણમાં નિમિત્તરૂપ યોગ્યતાને ભાવયોગ કહે છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com