________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
( ૯૬) અથવા નિત્ય જ માનવો; ગુણગુણીનો સર્વથા ભેદ કે અભેદ જ માનવો ઇત્યાદિ. ૧૪૦ પ્ર. વિપરીત મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. આત્માના સ્વરૂપને અન્યથા માનવાની રુચિને વિપરીત મિથ્યાત્વ કહે છે. જેમ કે
(૧) શરીરને આત્મા માનવો; વસ્ત્ર, પાત્રાદિ સહિતને નિગ્રંથગુરુ માનવા, સ્ત્રીનું શરીર હોવા છતાં તેને મુનિદશા અને મોક્ષ માનવો.
(૨) કેવળી ભગવાનને કવળાહાર, રોગ, ઉપસર્ગ, વસ્ત્ર, પાત્ર, પાટાદિ સહિત અને ક્રમિક ઉપયોગવાળા માનવા.
(૩) પુણ્યથી અર્થાત્ શુભરાગથી તથા નિમિત્તથી સાચો ધર્મ માનવો. ૧૪૧ પ્ર. સંશય મિથ્યાત્વ કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com