________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૯૫) ઉ. પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોના અન્યથા શ્રદ્ધાનને અને અદવ (કુદેવ )માં દેવપણું માનવું, અતત્ત્વમાં તત્ત્વ માનવું, અધર્મ (કુધર્મ)માં ધર્મ માનવો ઇત્યાદિ વિપરીત શ્રદ્ધાનને મિથ્યાત્વ કહે છે.
૧૩૮ પ્ર. મિથ્યાત્વના કેટલા ભેદ છે?
ઉ. પાંચ ભેદ છે-એકાંત, વિપરીત, સંશય, અજ્ઞાન અને વિનય.
૧૩૯ પ્ર. એકાંત મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. આત્મા, પરમાણુ આદિ સર્વ પદાર્થોનું સ્વરૂપ પોતપોતાના અનેક ધર્મોથી પરિપૂર્ણ હોવા છતાં પણ તેને સર્વથા એક જ ધર્મવાળું માનવું તેને એકાંત મિથ્યાત્વ કહે છે, જેમ કે આત્માને સર્વથા ક્ષણિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com