SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૨ કલામૃત ભાગ-૫ અનાત:’એ ‘સવા અનાત્ત્ત:’ની વ્યાખ્યા કરી કે, ધર્મીજીવ(ને) પરથી ભિન્ન પડેલું અનાકુળ આનંદનું વેદન છે માટે તે રાગથી ભિન્ન ભેદજ્ઞાનમાં બિરાજે છે, રાગમાં નહિ. આ..હા..હા...! આવી વાતું સાંભળવી કઠણ પડે, ઈ બિચારા ચારે સમજે અને ક્યારે (અંદર) જાય ? આ..હા...! બાપુ ! આવી વાતું છે. આ..હા...! ત્રિલોકનાથ જિનેન્દ્રદેવ પરમાત્મા સીમંધર ભગવાન મહાવેદહમાં બિરાજે છે એની આ વાણી છે. મહાવિદેહમાં પરમાત્મા બિરાજે છે ‘સીમંધરપ્રભુ’ ! આ સામાયિકમાં આજ્ઞા નથી લેતા ? એને ભાન પણ કયાં છે (કે), સામાયિક કોને કહેવી ? કોની આજ્ઞા ? આહા..હા...! સામાયિક તો જેને રાગના ભાગથી આત્મા ભિન્ન ચૈતન્યમૂર્તિ સમસ્વભાવી વીતરાગસ્વરૂપ ભગવાન ! એનું જેને સમતાનું, આનંદનું વેદન આવે એને અહીંયાં સામાયિક કહે છે. આહા..હા...! એથી કહે છે કે, (ધર્મીજીવ) ભેદજ્ઞાનમાં બિરાજે છે. અજ્ઞાની રાગ ને પુણ્ય ને પાપના એકત્વમાં બિરાજે છે. આ..હા..હા...! (કોઈ વ્યાખ્યાનમાં) ન આવ્યું હોય અને કોઈ ઘરે પૂછે કે, ‘શું કહેતા હતા ? ‘કોણ જાણે આનું આમ ને આનું આમ કહેતા હતા !' અરે...! ભગવાન ! બાપુ ! તને સત્યની ખબર નથી. આહા..હા...! અહીંયાં તો અનાકુળની વ્યાખ્યા આ કરી. શું કરી ? ‘સવા અનાત્તે:’ ધર્મી સદાય રાગથી ભિન્ન દશા જ વર્તે છે, એમ કહે છે. આ..હા...! અજ્ઞાની મિથ્યાદષ્ટિને સદાય રાગની એકતા જ વર્ત્યા કરે છે. આહા..હા...! ચાહે તો એ ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં કરતો હોય પણ એ મૂઢ મિથ્યાદૃષ્ટિ રાગના એકત્વમાં પડ્યો છે. એ રાગ છે એની એને એકત્વબુદ્ધિ છે. આહા...હા...! ત્યારે સમ્યગ્દષ્ટિ ‘સવા અનાત્તે:” એટલે ? રાગથી ભિન્ન અનાકુળસ્વરૂપ ભગવાનઆત્માનું છે એમાં એ સદાય છે. આહા..હા...! અરે..! આવી વાતું...! એવો વીતરાગનો માર્ગ (છે), પ્રભુ ! આહા..હા...! ? ઇન્દ્રો ! એકાવતારી – એકભવતારી ઇન્દ્રો છે એની વચ્ચે પરમાત્મા આમ ફરમાવે છે. આ..હા...! સમજાણું કાંઈ ? એ વાત અહીં આવી છે. ‘સવા ઞનાનૈ:' આહા..હા...! એટલે ? અજ્ઞાની અનાદિના એ પુણ્ય અને પાપના ભાવની એકત્વબુદ્ધિમાં દુ:ખી છે. ત્યારે ભેદજ્ઞાની સમ્યગ્દષ્ટિ રાગથી ભિન્ન પડેલી અનાકુળ ચીજમાં પડ્યા છે એટલે એને અનાકુળનું વેદન છે. એટલે અનાકુળની વ્યાખ્યા જ આ કરી કે, ભેદજ્ઞાનમાં રહે છે. રાગથી ભિન્ન રહે છે. પેલો અજ્ઞાની રાગના એકત્વમાં રહે છે. ચાહે તો સાધુ હોય પણ પંચમહાવ્રતના પરિણામ રાગ છે. એ રાગના એકત્વમાં છે ઈ મિથ્યાદૃષ્ટિ મૂઢ છે. આહા..હા...! સમજાણું કાંઈ ? ‘સદ્દા અનાૌ:’‘સર્વદા ભેદશાને બિરાજમાન છે...' આ..હા..હા...! માળા ટીકાકાર પણ (ટીકા કરે છે ને) ! સમ્યગ્દષ્ટિ એને કહીએ કે, જેની દૃષ્ટિમાં રાગથી ભિન્ન પડેલો
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy