________________
કળશ-૧૫૬
૬ ૧
થઈ ગયો ધર્મ ! ધૂળમાંય (ધર્મ) નથી, (ઈ) બધા જડના પલાખા છે. આહા..હા...! અરે.... બાપુ ! તને ખબર નથી, ભાઈ ! આ..હા...!
ભગવાન અંદર છે એ તો જ્ઞાનસ્વરૂપી ચૈતન્યબિંબ ! જિનચંદ્ર છે ! વીતરાગી શીતળ ચંદ્ર છે ! આહા..હા...! એનું જેને ભાન થઈને વેદન (થયું) છે એ કહે છે કે, શરીરની વેદના મને નથી, મારામાં નથી. એ વેદનામાં હું નથી. આહા..હા...! અરે.. અરે...! આવી બધી શરતું ! આને કંઈ ખબરું ન મળે, એમાં વળી ત્રીસ-ચાળીસ વરસની જુવાન અવસ્થા હોય, એમાં પાંચ-દસ લાખ, પચીસ લાખ થઈ ગયા હોય, બે-પાંચ કરોડ થાય તો થઈ રહ્યું... હું પહોળો ને શેરી સાંકડી ! આહા..હા...! (અમારા) બાહુબળથી અમે વધી ગયા ! શેમાં (વધી ગયા) ? પાપમાં ! અરે......! બાપુ ! તને ખબર નથી, ભાઈ !
અહીંયાં ધર્મીજીવને... ધર્મ એવો જે આત્મા, એનો જે અનુભવ છે, રાગ અને પુણ્યપાપના વેદનથી ભિન્ન પડ્યો છે. આ..હા..હા....! એ અપેક્ષાએ અહીં કહે છે, વેદનાનો ભય કચાંથી હોય ?” છે ? “જ્ઞાનિન: તદ્દી:’વેદનાનો ભય ક્યાંથી હોય ? અર્થાત્ નથી હોતો.’ આહા..હા...! શરીરમાં રોગ આવે ઈ તો જડની દશા છે. ઈ તો માટીમાં રોગ છે. ભગવાન તો અરૂપી જ્ઞાનાનંદ છે. એના ભાનમાં આની વેદના એને હોતી નથી. આહા..હા...! ભારે આકરું કામ ! એમાં Heart fail વખતે તો ગભરામણ થાય. કા૨ણે આ બધું લોહી ચોસલા થઈ જાય છે. એ વખતે Heart failવાળાને આ લોહી છે ને ? એ બરફની જેમ બધે જામી જાય. શ્વાસ ન લઈ શકે અને ગભરામણ... ગભરામણ... ગભરામણ થાય. આહા...હા....! અમે તો ઘણા જોયા છે ને ! આહા..હા...! આ બધું લોહી છે ઈ બરફની જેમ જામી જાય એટલે શ્વાસને લેવાની ગતિ રૂંધાઈ જાય એટલે ગભરામણ... ગભરામણ... ગભરામણ (થાય). આહા..હા...! પણ એ વેદના જડની છે, ધર્મી કહે છે કે, ચૈતન્ય (એવા) મારામાં નથી. આ..હા..હા...! આવું છે આ સ્વરૂપ ! એમાં ત્યાં તમારા પૈસા-ફૈસામાં સાંભળવાનું મળે એવું નથી. ધૂળમાં...! આહા..હા...!
વેદનાનો ભય કર્યાંથી હોય ? અર્થાત્ નથી હોતો; કારણ કે..’‘સદ્દા અના હૈ:’ સર્વદા ભેદશાને બિરાજમાન છે...’ આ શું કહે છે ? સમ્યગ્દષ્ટિ – ધર્મની પહેલી સીઢીવાળો રાગના ભાવથી ભિન્ન ભેદજ્ઞાન જેને સદા – નિરંતર વર્તે છે. અજ્ઞાનીને – મિથ્યાસૃષ્ટિ મહામૂઢમાં નિરંતર રાગ અને આત્મા બન્ને એક (છે) એમ નિરંતર વર્તે છે. આહા..હા...! એમ સમ્યગ્દષ્ટિને, ભલે ચક્રવર્તીના રાજમાં પડ્યો દેખાય... આહા..હા...! પણ એને આ...હા...! અનાકુળ ભેદજ્ઞાને બિરાજમાન છે..’ એ રાગનો જે વિકલ્પ છે એનાથી જુદી પડેલી ભેદજ્ઞાન દશા નિરંતર વર્તે છે. આ..હા..હા..હા...! આકરું કામ, બાપા ! આહા..હા...! વીતરાગનો ધર્મ સમજવો બહુ અલૌકિક વાત છે ! આહા..હા...! લૌકિક સાથે કાંઈ મેળ ખાય એવું નથી.
આહા..હા...! કહે છે કે, સર્વદા ભેદશાને બિરાજમાન છે...’ ભાષા એમ છે કે, “સવા