________________
૬૦
કલશામૃત ભાગ-૫ ધૂળેય નથી, હવે સાંભળને ! આહા..હા...! હજી વિનંતી કરવા આવશે, પહેલા આવ્યો હતો.
અહીં કહે છે, ભગવાન આત્મા કેવો છે ? “સ્વભાવથી જ ઉત્પન્ન છે. એટલે કે સ્વભાવિક વસ્તુ જ અનાદિથી છે. આહા..હા..! અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનનો સાગર – દરિયો ! અનંત આનંદનો દરિયો પ્રભુ છે ! અરે...! ક્યાં એણે જોયું છે ? સાંભળ્યું નથી, શ્રદ્ધા કરી નથી તો જોવે ક્યાંથી અંદરઅને જોવે તો ત્યાં ભાળે ક્યાંથી? આંખ્યું વીંચીને આમ કરે તો દેખાય ક્યાંથી ?) હજી વસ્તુની જ્યાં શ્રદ્ધા અને ઓળખાણ પણ નથી. આહા..હા..! સમજાણું કાંઈ ?
કહે છે, જ્ઞાન એટલે આત્મા. જાણકસ્વરૂપજાણકસ્વરૂપ (છે) ઈ આત્મા. જેમ સાકર ગળપણનો પિંડ (છે) એમ આ ભગવાન જ્ઞાનસ્વરૂપી, ચૈતન્યસૂર્ય, ચૈતન્યચંદ્ર (છે). આ..હા...હા...! ઈ સ્વભાવિક વસ્તુ છે (એમ) કહે છે. એ કોઈએ કરી નથી, નવી થઈ નથી. છે. છે. ને છે... આ...હા...હા.! અરે...! સ્વભાવિક છે ?
કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? સાત ભયથી મુક્ત છે.” આ..હા...હા...! ધર્માજીવને તો આ લોકનો પણ ભય નથી અને પરલોકનો ભય પણ નથી. હું તો આનંદ અને જ્ઞાનમૂર્તિ (છું) એ મારો લોક છે), આ શરીર છે) એ મારો લોક નહિ. આ તો જડની માટીની ચીજ છે. શરીર રહે ત્યાં સુધી મને પૂરી સગવડતા રહે (તો) ઠીક. જગતને ઈ આ લોકનો ભય (છે). મરતાં સુધી સગવડતા રહે તો ઠીક. એની માટે બધી સંભાળ કરે. ધર્મીને એ ભય હોતો નથી, કહે છે. આ..હા...હા..! કેમકે અંદર પોતાનું જ્ઞાનશરીર છે. અતીન્દ્રિય આનંદ એનું શરીર છે. આ શરીર તો માટી, ધૂળનું છે. આહા...હા.! સમજાણું કાંઈ ? એ કહે છે, “સાત ભયથી મુક્ત છે.'
જ્ઞાનિન: તથ્વી ત: સમ્યગ્દષ્ટિ જીવને વેદનાનો ભય ક્યાંથી હોય ?’ આલોક, પરલોકની વાત પહેલાં આવી ગઈ છે. હવે આ વેદનાની વ્યાખ્યા છે. આહા...હા..! શરીરમાં રોગ આવે, સડો પડે... આ. હા..હા..! એનો ભય જ્ઞાનીને – ધર્મીને હોતો નથી. કારણ કે ઈ શરીરથી મારી ચીજ ભિન્ન છે એવું જાણ્યું છે. અનુભવમાં એ ચીજ આવી ગઈ છે. એટલે આ શરીરની વેદના (છે) ઈ મારી વેદના નહિ. આહા...હા...! આવી વાતું છે. અજ્ઞાનીને) તો એક કોર શરીરની વેદના (ચાલતી હોય) એમાં શૂળ ઉપડતા હોય. આ..હા...! (અંત સમયે) ભીંસાઈને મરીને ચાલ્યા જશે. ઘણાની ઢોરમાં – તિર્યંચમાં ગતિ (થવાની) છે. આહા..હા...!
અહીં કહે છે કે, ધર્મીને એનો ભય નથી). એની વેદના જ મને નથી ને ! હું તો આનંદની વેદનાનો વેદનારો છું. આ...હા...હા...! પુદ્ગલની વેદના, શરીરની સુખ-દુ:ખની કલ્પના પુગલસ્વરૂપ છે, મારું સ્વરૂપ નહિ. આહા...હા...! કેવી વાત આ તે !! પેલું તો એકેન્દ્રિયા, બેઇન્દ્રિયા, ત્રિઇન્દ્રિયા, ચતુરઇન્દ્રિયા, પંચેન્દ્રિયા આવતું ને ? તસમિચ્છામી દુક્કડમ્ ! જાઓ,