SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૫૬ ૫૯ પ્રશ્ન :- રોગ આવે તો દુઃખ તો થાય જ ને ? સમાધાન - ઈ આવશે, હમણાં આવશે. ઈ રોગની વેદના જ આત્માની નથી, અહીં (એમ) કહે છે. ઈ તો જડની માટી – ધૂળની છે. રોગ આને (–શરીરને) થાય છે, આત્માને થાય છે ? આ તો માટી છે. આ..હા...હા...! ખીલો કે લોઢું વાગે ત્યારે નથી કહેતા ? કે, મારી માટી પાકણી છે, પાણી અડવા દેશો નહિ. એમ વાતું કરે પણ) ક્યાં ભાન છે ? બોલવાની ખબરું નથી. જગતની પાગલની જેમ બધી જિંદગીયું છે. કાટવાળી ખીલી વાગે (તો એમ કહે) મારી માટી પાકણી છે. એક કોર આને માટી કહે છે અને એક કોર વળી મારું કહે છે ! માટીની માટી થાય છે. ધૂળનો ધણી થાય છે ! આ.હા...હા...! માર્ગ બાપા !... વીતરાગ જિનેન્દ્રદેવનો માર્ગ કોઈ જુદી જાત છે. અત્યારે તો લોકોએ આખો લોપ કરી નાખ્યો. આહા...હા....! ભગવાન અહીંયાં કહે છે કે, શુદ્ધ સ્વરૂપ ભગવાનઆત્મા પવિત્રતાનો પિંડ છે. એને ધર્મી જીવ – પ્રથમ દશાવંત આસ્વાદે છે. આ..હા..હા..! સમજાણું કાંઈ ? “કેવું છે જ્ઞાન ?' કહે છે, કેવો છે ભગવાન ? જ્ઞાન શબ્દ આત્મા. અંદર આત્મા કેવો છે? કેવું છે જ્ઞાન ? સ્વભાવથી જ ઉત્પન્ન છે.” ઈ વસ્તુ અનાદિની સ્વભાવિક છે. એને કોઈએ કરેલો નથી, નવો થતો નથી. આનંદ અને જ્ઞાનસ્વરૂપી – સ્વભાવી અનાદિથી છે. આ.હા...હા..! અરે..! આવી વાતું ! કોઈ દિ સાંભળ્યું ન હોય). હું અહીં બચારો કહું છે ને ? એને શાસ્ત્રમાં રાંકા કહ્યા છે. શાસ્ત્રમાં ‘વરાંકા' શબ્દ આવે છે. વરાંકા એટલે ભિખારી. દુનિયા ભિખારી, રાંકા ! અબજોપતિ બધા ભિખારા, રાંકા છે. જેને અંતર ચૈતન્યની લક્ષ્મીની ખબર નથી અને બહારની લક્ષ્મી માગે છે) ઈ ભિખારા, વરાંકા, રાંક છે. આહા..હા..! ભાઈ ! આવી વાત છે. મુમુક્ષુ :- (આ વાત) અહીં ચાલે, બહાર ન ચાલે. ઉત્તર :- અહીં તો હવે “મુંબઈ પણ ચાલે છે ને ! દસ-દસ હજાર માણસ સાંભળે છે ને ! “ઘાટકોપર’ ! પેલું નહિ...? સર્વોદય ! ત્યાં વાંચતા ને ? પેલો હૉલ છે ને ? ત્યાં દસ-દસ હજાર માણસ આવે છે. હવે બધા આવે છે, ઈ કાંઈક બીજું કહે છે એવું બધાને થઈ ગયું છે. આ.હા...! એક ફેરી (એક મુમુક્ષુને) ત્યાં ઉતર્યા હતા ને ? આ ફેરી લગભગ ત્યાં ઉતરવાનું છે. ત્યાં ઉતર્યો હતો ત્યારે બીજા મુમુક્ષુ) આવ્યા હતા. આવીને કહ્યું, “મહારાજ ! આપનો આ ધર્મ તો ચાર હજાર ભવ પછી સમજાશે.” એ અહીં આવ્યો હતો. અત્યારે અહીં ગયો છે, “પાલીતાણા’ ગયો છે. એના વખાણ કરે ને ? શ્વેતાંબરના દેરાસર કર્યા છે ને ? ત્યાં સર્વોદય પાસે (કર્યું છે). “ઘાટકોપર' ! (ત્યાં એક સાધુ છે) એની પાસે ગયા છે. એ એના વખાણ કરે, એ.ઈ..! તમે આટલા લાખો ખર્ચો ને દસ લાખ ખર્ચા ને ઢીકણા ખચ્ય ને..
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy