SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૫ કહે છે. સમજાણું કાંઈ ? આહા..હા....! બેનનો એક શબ્દ છે ને ? અગ્નિમાં ઉધઈ લાગતી નથી. પહેલો શબ્દ શું છે ? કંચનને કાટ નથી લાગતો. કંચન છે ને ? સોનું ! એમાં કાટ લાગે છે ? કાઈ.. કાઈ નથી થતી. લોઢાને કાઈ થાય છે, કંચનને કાઈ નથી થતી. કંચનમાં કાટ નહિ, અગ્નિમાં ઉધઈ નહિ. ઝીણી જીવાત થાય છે. દીમક થાય છે, બહુ પાતળી, ધોળી (હોય છે). આકરો તડકો પડે તો બળી જાય. અગ્નિમાં ઉધઈ લાગતી નથી, પહેલું શું કહ્યું ? કંચનને કાટ લાગતો નથી. એમ ભગવાનઆત્મામાં આવરણ અને અશુદ્ધતા અને ઉણપ નથી. એ બેનના શબ્દો છે. અહીંયાં એક બેન છે. અસંખ્ય ભવનું જાતિસ્મરણ જ્ઞાન છે. અસંખ્ય અબજ વર્ષનું ! ભવ નવ પણ અસંખ્ય, અબજ વર્ષની સ્થિતિનું છે. એમની આ વાણી છે. અત્યારે પુસ્તક છપાણા છે, વીસ હજાર છપાણા છે. દસ હજાર નવા છપાય છે. એમાં આવો એક શબ્દ છે. અગ્નિમાં ઉધઈ (નહિ). ઉધઈ નામ દીમક.. દીમક ! સૂક્ષ્મ દીમક નથી થતી ? અગ્નિમાં દીમક થાય ? એમ કનકને કાટ લાગે છે ? કાઈ ! એમ આત્મા ભગવાન અંદર ચિદાનંદ પ્રભુ છે એમાં કર્મ અને રાગ-દ્વેષનું આવરણ નથી, રાગ-દ્વેષની અશુદ્ધતા નથી અને કમી (–ઉણપ) નથી. પોતાના પૂર્ણ સ્વભાવથી ભરેલો એવો ઉણપ વગરની આત્મા ચીજ છે. આહા..હા...! જરી સૂક્ષ્મ છે. ‘દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ’ તમને આપ્યું. એ વખતે યાદ હતું એક પુસ્તક છે. પણ તમને ન સમજાય. એવી ચીજ છે, બહુ ઝીણી વાત છે. બેનની વાત છે. અહીંયાં કહે છે, ‘પૃથનક્ષા: 'મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે મળતા નથી.’ આહા..હા...! માટે મારી ચીજ ભિન્ન છે, એ ચીજ ભિન્ન છે. એવું ભેદજ્ઞાન કરી પોતાના આત્મામાં અનુભવ કરવો એ જ મોક્ષ થવાનો, આનંદ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !) પોષ સુદ ૭, રવિવાર તા. ૧૫-૦૧-૧૯૭૮. કળશ-૧૮૫ પ્રવચન-૨૦૫ ૫૫૫ ‘કળશટીકા’ ૧૮૫ કળશ ચાલે છે ને ? અહીંયાં આવ્યું છે. કેવા છે અશુદ્ધ ભાવ ?’ વૃધ્ધ નક્ષળા:' શું કહે છે ? જેને ધર્મ ક૨વો હોય, તો ધર્મ તો આત્માનો શુદ્ધ સ્વભાવ જે પરિપૂર્ણ પડ્યો છે તેની દૃષ્ટિ કરવાથી અને તેનો અનુભવ કરવાથી ધર્મ થાય છે. જે શુદ્ધ ચૈતન્ય છે તેનો અનુભવ કરવાથી રાગાદિ ભાવ જે છે, ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ હો કે અશુભ રાગ હો, એ આત્માના સ્વભાવથી પૃથક્ લક્ષણ છે, ભિન્ન
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy