________________
કલશામૃત ભાગ-૫
હું કોણ છું ? હું ક્યાં છું ? મને કોણ સાચવે ? હું મને સાચવું. હું આનંદ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છું તેની સંભાળ કરું. બીજાની સંભાળ હું કરી શકતો નથી. આહા..હા...! એ અહીં કહે છે, જુઓ !
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા... કોણ ? ‘રાગાદિ અશુદ્ધ ભાવ,...’ ‘રાગાદિ’ શબ્દ પડ્યો છે ને ? તો રાગ, દ્વેષ, વિષય, વાસના, કામ, ક્રોધ, માન, માયા, લોભ, કપટ આદિ. એ બધા અશુદ્ધ પરિણામ, મિલન પિરણામ છે. રાગાદિ – દયા, દાન, વ્રત, ભક્તિના અશુદ્ધ છે. એ રાગ શુદ્ધ નથી, પોતાનો સ્વભાવ નહિ. એ કહે છે.
ભાવ પણ રાગ
‘રાગાદિ અશુદ્ધ ભાવ, શરીર આદિ, સુખદુઃખ આદિ...’ શરીરમાં કોઈક અનુકૂળ-પ્રતિકૂળ સુખ, દુઃખ લાગે એ નાના પ્રકારના અશુદ્ધ પર્યાયો,...' તે અદ્દે ન અગ્નિ' તે બધાં જીવદ્રવ્યસ્વરૂપ નથી.’ એ હું નહિ. શરીરમાં રોગ હોય, નિરોગતા હોય એ જડની ચીજ નહિ, એ મારી નહિ, મારામાં નહિ. પુણ્ય-પાપના ભાવ થાય છે એ રાગ છે એ મારા નહિ. આહા..હા...! કેટલેથી છૂટવું ? તો કહે છે કે, સર્વસ્વ. એમ કહ્યું. જુઓ ! છે ? ‘શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે અણમળતા...’ કોણ ? યે તે વિવિધા: માવા:' રાગાદિ અશુદ્ધ (ભાવ), સુખ, દુ:ખ આદિ પ્રકાર, અશુદ્ધ પર્યાય ‘તે બધાં જીવદ્રવ્યસ્વરૂપ નથી.’ એ મારી ચીજ નહિ. આહા..હા...! મારી ચીજથી જુદી પડી જાય એ ચીજ મારી નહિ. રાગાદિ છૂટી જાય છે. આત્મા નિર્મળ થાય છે, શુદ્ધ પરમાત્મા (થાય છે) તો રાગ રહેતો નથી. માટે રાગ જો પોતાની ચીજ હોય તો છૂટી કેમ પડે ? જુદી કેમ પડે ? જુદી છે તો જુદી પડી જાય છે. માટે પોતાની ચીજ છે નહિ. સમજાણું કાંઈ ? આહા..હા....!
૫૫૪
=
એ રાગાદિ અશુદ્ધ ભાવ હું નહિ. “તે બધાં જીવદ્રવ્યસ્વરૂપ નથી. કેવા છે અશુદ્ધ ભાવ ?? ‘પૃથ’નક્ષા:’ એમાં ત્રણ અર્થ છે. “મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સાથે મળતા નથી.' પુણ્ય અને પાપના ભાવ, શુભ-અશુભ ભાવ મારી ચૈતન્ય જાત છે, જાણન સ્વભાવ છે તેનાથી આ પુણ્ય-પાપના ભાવ પૃથક્ લક્ષણ છે. કેમકે હું ચૈતન્ય છું. એ રાગમાં ચૈતન્યનો અભાવ છે. તો એ અજ્ઞાન છે. હું ચૈતન્ય છું તો એ રાગ વિકાર છે, હું નિર્મળ છું તો એ વિકાર છે તો એ વિપરીત છે. પૃથક્ લક્ષણ છે, વિપરીત છે, અજ્ઞાન છે. આહા..હા...! સમજાય તો છે ને ? ભાષા તો સાદી છે પણ માર્ગ તો ભગવાન આવો છે. આહા..હા...!
?
મારી ચીજ જે અંદર છે – જ્ઞાનજ્યોતિ ઝળહળ જ્યોતિ ! માણસ અગ્નિ સદા રાખે છે ને ? અગ્નિ સદા રાખે. તમારા પારસીમાં તો અગ્નિ બહુ રાખે. ખબર છે. અમારે ત્યાં પારસી હતા ને ? ભાઈ ! અમે પગલાં કરવા ગયા હતા. એ પારસીના ગુરુ હતા. ત્યાં પગલા કરવા લઈ ગયા હતા. ત્યાં વ્યાખ્યાન ચાલતું હતું. (સંવત) ૧૯૯૫ની સાલની વાત છે. સામે ઘર હતું. પગલા કરવા ગયા હતા. એ પારસીના ગુરુ હતા તો અગ્નિ સદા ચોવીસ કલાક રાખે. એ ખબર છે. એ અગ્નિ નહિ, આ ચૈતન્યઅગ્નિ સદા પોતામાં રાખવી, એમ