SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ કિલશામૃત ભાગ-૫ આત્મતત્ત્વ છે એ હું જ્ઞાનમય જ્યોતિમય એવો હું પ્રત્યક્ષ છું. પ્રત્યક્ષનો અર્થ મારા અનુભવમાં રાગ અને નિમિત્તની અપેક્ષા નથી. વ્યવહાર રત્નત્રયના વિકલ્પની જેમાં અપેક્ષા નથી, એવો હું ચિન્મય જ્યોતિ છું. એમ ધર્મી પોતાના અનુભવમાં માને છે તો ધર્મી કહેવામાં આવે છે. નહિતર અધર્મી કહેવાય છે. છે ? શું કહ્યું ? જુઓ ! મનનો અભિપ્રાય જેમનો, એવા છે.” “ શુદ્ધવિન્મયમ્ ચોતિઃ ‘સ્વસંવેદનપ્રત્યક્ષ છું કે હું જીવદ્રવ્ય.” આહાહા...! અંદર મારું જ્ઞાન, વર્તમાન જ્ઞાનની જે દશા (છે) એ દશાથી હું પ્રત્યક્ષ થવાવાળો આત્મા છું. મારા આત્માને જાણવામાં મનની અને રાગની અપેક્ષા નથી. એવો સ્વસંવેદન – સ્વ નામ પોતાનું સં – પ્રત્યક્ષ, વેદન કરવું એવો પ્રત્યક્ષ આત્મા છે. આહા..હા....! ભારે વાત, ભાઈ ! શબ્દ શબ્દ કઠણ ! પ્રત્યક્ષ આત્મા છે. ઇન્દ્રિયથી જાણવામાં નથી આવતો. દયા, દાન, વ્રતના વિકલ્પથી પણ જાણવામાં આવતો નથી. આહા...હા..! સ્વસંવેદન – શુદ્ધ ચૈતન્ય વસ્તુ, એ પોતાની શુદ્ધ પર્યાય – દશા, સ્વભાવિક દશા, વિકાર રહિત દશામાં આત્મા પ્રત્યક્ષ થાય એવું જીવદ્રવ્ય છે. આહા...હા...! એમાં છે કે નહિ ? એમાં છે તેનો અર્થ થાય છે. આહા...હા...! છે ? | ‘ ’ ‘ક ’ની વ્યાખ્યા કરી. હું કોણ છું? કે, “સ્વસંવેદનપ્રત્યક્ષ છું...” આહા..હા...! સ્વ નામ પોતાનો આનંદ અને પોતાનું અતીન્દ્રિય જ્ઞાન, એનાથી હું પ્રત્યક્ષ છું એવો) આત્મા છું. આહા..હા...! સમજાણું કાંઈ ? “૩૪મ્' અસ્તિ – મોજૂદગી બતાવે છે. હું “મા” પ્રત્યક્ષ સ્વ – પોતાથી પોતાનું શુદ્ધ પવિત્ર પુણ્ય-પાપના રાગથી રહિત પવિત્ર પરિણામથી હું પ્રત્યક્ષ થવાવાળો એવો) હું જીવદ્રવ્ય છું. આહાહા...! ધર્મી જીવની આવી પ્રથમમાં પ્રથમ ધર્મની પહેલી સીઢી આવી હોય છે. પહેલી સીઢી ! સીઢી કહે છે ને ? સોપાન. આહા...હા...! તેની પહેલી સીડી આ છે. - હું હમ્' તો ‘' હું શું છું ? તો પોતાથી આનંદ અને જ્ઞાનની દશાથી પ્રત્યક્ષ થનાર જીવદ્રવ્ય “મ્' એ હું છું. આહા..હા..! રાગવાળો તો નહિ, પુષ્યવાળો તો નહિ. વાળો. વાળો કહે છે ને ? વાળો નથી નીકળતો ? રોગમાં વાળો થાય છે. અપથ્ય પાણી હોય છે ને ? પાણીમાં વાળો નીકળે છે તો પીડા થાય છે. એક વાળો નીકળે ત્યાં પીડા થાય છે તો આ તો કેટલા વાળા ? હું લક્ષ્મીવાળો, હું સ્ત્રીવાળો, કુટુંબવાળો કેટલા વાળા છે તને ? એ હું નથી. આહા...હા...! હું તો ‘મહ૫” “સ્વસંવેદન’ પોતામાં જ્ઞાનથી, આનંદથી વેદનાર. ‘પ્રત્યક્ષ' નામ પરની અપેક્ષા વિના જણાઉં, એવો હું આત્મા છું. આનું નામ ધર્મી અને સમ્યક્દૃષ્ટિ કહેવામાં આવે છે. સમ્યક નામ સત્ય દૃષ્ટિ. સત્ય ભગવાન આત્માની દૃષ્ટિ અને આવી થઈ. આહા...હા...! સમજાણું કાંઈ? અલૌકિક વાત છે, ભગવાન ! દુનિયામાં તો ઘણી વાત ચાલે છે. સંપ્રદાયને
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy