________________
કળશ-૧૮૫
ગાંધીજી’ વ્યાખ્યાનમાં આવ્યા હતા. રાજકોટ' ! આ મોહનલાલ ગાંધી’નહિ ? એ વ્યાખ્યાનમાં આવ્યા હતા. ત્યારે તો અમે એમ કીધું હતું. (સંવત) ૧૯૯૫ની સાલ. ૧૯૯૫ ! કેટલા વર્ષ થયા ? ચાલીસમાં એક ઓછો. ૩૯ વર્ષ થયા. વ્યાખ્યાનમાં આવ્યા હતા. અમે તો કહ્યું હતું, પ૨ને હું જીવાડી શકું છું એ મૂઢ છે. એના આયુષ્ય વિના જીવી શકે નહિ અને હું જીવાડી શકું છે (એમ માનનાર મૂઢ છે). સમજાણું કાંઈ ? ભગવાનઆત્મા આનંદકંદ પ્રભુ જ્ઞાન, એ રાગ અને પ૨ની ક્રિયા કેવી રીતે કરે ? આહા..હા...! ૫૨ની ક્રિયા અને રાગનો કર્તા માને એ જીવ સ્વરૂપનો વિરોધી છે, સ્વરૂપનો દ્વેષી છે. નિજ સ્વરૂપનો દ્વેષી છે. આહા..હા...! દ્વેષ અરોચક ભાવ' સૂક્ષ્મ વાત છે, પ્રભુ !
આ પુણ્ય પરિણામ થાય છે ને ? દયા, દાન, વ્રત, ભક્તિ શુભ ભાવ, જેને શુભ આચરણ કહે છે, તેનો જેને પ્રેમ છે, તેને આત્મા આનંદમય છે તેની ઉપર દ્વેષ છે. દ્વેષ અરોચક ભાવ’ આનંદમૂર્તિ ભગવાન શાનસ્વરૂપ જેને રુચતું નથી અને રાગ, દયા, દાન, વ્રત આદિ રુચે છે તેને સ્વભાવ પ્રત્યે દ્વેષ છે, અણગમો છે, અપ્રીતિ છે, રાગ પ્રત્યે પ્રીતિ છે. સૂક્ષ્મ વાત છે, આવી કયારેય સાંભળી નથી. સમજાણું કાંઈ ? આહા...હા...!
રાગ પોતાનો માને છે (એ) કેન્સર થયું છે. સડો થઈ ગયો છે, સડો ! ભગવાન આનંદ, જ્ઞાન સ્વરૂપ પ્રભુ ! ચિન, જ્ઞાનનું ઘન, સમૂહ, અતીન્દ્રિય આનંદનો પિંડ, ધ્રુવમાં રાગના કણને પોતાનો માનવો... તે શું કહ્યું ? કેન્સ૨ (થયું છે). ભાઈ ! આવી વાત છે. આહા..હા...! શેઠ નથી આવ્યા ? (એમની તબિયત બરાબર નથી). ઠીક ! ‘સાગર'ના શેઠ છે, બે કરોડ-ચા૨ કરોડના આસામી ! બે લાખનું મકાન કરીને અહીંયાં કહે છે. આવે છે, સાંભળવા માટે કાયમ આવે છે. એ ચાર કરોડ ધૂળ છે.
અહીંયાં તો જેને પ્રભુનો પ્રેમ નથી.. એક મ્યાનમાં બે તલવાર રહી શકતી નથી. એક મ્યાન, બે તલવાર ! એમ જેને રાગનો – શુભ રાગનો પણ પ્રેમ છે તેને આત્મા આનંદનો પ્રેમ નથી. અને જેને અતીન્દ્રિય આનંદનો પ્રેમ છે તેને રાગનો પ્રેમ નથી. એક મ્યાનમાં બે રહી શકે નહિ. આહા..હા...! એમ અહીંયાં કહ્યું, જુઓ !
શું કહ્યું ? મનનો અભિપ્રાય જેમનો, એવા છે. કેવો છે તે પરમાર્થ ? ‘અમ્ શુદ્ધ વિસ્મયમ્ ન્યોતિ: સદ્દા વ અસ્મિ' આહા..હા...! ધર્મી જીવના અભિપ્રાયમાં, આશયમાં, દૃષ્ટિમાં, રુચિમાં, પોસાણમાં આત્મા પોસાય છે, એને રાગ પોસાતો નથી. આ વાણિયા વેપા૨ કરે છે ને ? પોસાય તો માલ લે છે ને ? અઢી રૂપિયાનો માલ હોચ અને અહીં ત્રણ રૂપિયે ખપે તો માલ લે. પણ અઢી રૂપિયે લે અને અહીં બે રૂપિયે ખપે તો માલ લ્યે ? એ માલ પોસાતો નથી. એમ જેને આત્મામાં રાગ પોસાય છે તેને આત્મા પોસાતો નથી. જ્ઞાનીના ચરિત્રનો અભિપ્રાય... આહા..હા...! કેવો છે ? અહીંયાં આવ્યું ને ? ચિન્મય હું તો સ્વસંવેદન પ્રત્યક્ષ છું. જે જીવદ્રવ્ય..' આહા..હા...! જુઓ ! આ જીવ
જ્યોતિ
૫૩૯