________________
કળશ-૧૮૩
ચેતનાને રાગવાળી માનો એ વાત તો છે જ નહિ. આહા..હા...! વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ અને રાગ છે એ તો ચેતનામાં જેનો અનુભવ કરવો છે એમાં એ તો છે જ નહિ. પણ એ ચેતનામાં કારકો અને ધર્મો ને ગુણોના ભેદોનો નિષેધ કર્યો તો એમાં જાણે એકરૂપ આવ્યું. છતાં એકરૂપ ચેતના બીજા ભેદથી રહિત હોવા છતાં ચેતનામાં બે પ્રકા૨ – રૂપ છે. એનું સ્વરૂપ જ બે પ્રકારે છે દર્શન અને શાન. જો દર્શન અને જ્ઞાન બે રૂપે ન
હોય તો એ ચેતના જ સિદ્ધ થતી નથી. ચેતનાની પ્રતીતિ જ સિદ્ધ થતી નથી. કેમકે પ્રતીતિ ક૨ના૨ પર્યાય – વિશેષ છે અને સત્તા સામાન્ય છે. હવે પ્રતીતિ કરનાર વિશેષ અને સત્તા
=
બેને ન કબુલે તો ચેતના જ સિદ્ધ થતી નથી. આહા..હા...! સમજાણું કાંઈ ?
—
સામાન્ય
આ તો એકલી લોજીકની – ન્યાયની વાતું છે. આહા..હા....!
૫૦૭
અહીં સુધી આવ્યું છે. એવી બે અવસ્થાઓને છોડે...’ ત્રણ દોષ છે. ત્રણ દોષમાં એક દોષ આ કે, આત્મા વસ્તુ છે એ ચેતનામાત્ર વસ્તુ (છે). જાણન-દેખન સ્વભાવમાત્ર ચેતના વસ્તુ (છે). એ વસ્તુના બે પ્રકાર પડ્યા જાણવું અને દેખવું. એ જાણવું અને દેખવું (એવા) બે ભેદ પડ્યા. બીજા ભેદ કાઢી નાખ્યા પણ આ ભેદ કાઢી નાખ્યું ચેતના જ સિદ્ધ થતી નથી, એમ કહે છે. જેમ ગુણ-ગુણી ભેદ કાઢી નાખ્યા, ધર્મના અસ્તિત્વ ઉત્પાદ્વ્યય-ધ્રુવ કાઢી નાખ્યા, એ ભેદ છે, એમ... પહેલા ત્રણ બોલ લીધા છે. ઉત્પાદ્-વ્યય-ધ્રુવ, દ્રવ્ય-ગુણ-પર્યાય એ ધર્મ છે. જ્ઞાન, દર્શન આદિ ગુણ છે. એ બધા એનામાં નથી એમ કહે છે. ભેદ કાઢી નાખ્યા ને ? કર્મનું લક્ષણ અચેતન (છે) એટલે એ (પણ) કાઢી નાખ્યા. આત્મા, આત્મા વડે (એવા) છ કારકો. છ કારકને કાઢી નાખ્યા. આહા..હા...!
આત્મા ચેતના એનો અનુભવ કરવો છે અને તે અનુભવ મોક્ષનો માર્ગ અને પૂર્ણ અનુભવ તે મોક્ષ છે. એથી આત્મા અને ચેતનામાંથી છ કારકો કાઢી નાખ્યા. ઉત્પાદ-વ્યયધ્રુવ, દ્રવ્ય-ગુણ-પર્યાય ધર્મ કાઢી નાખ્યા. અને ગુણ - જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદના ગુણો (એ ભેદ પણ) કાઢી નાખ્યા. પણ (એ બધું) કાઢી નાખતાં એનું એક જ રૂપ રહે અને સામાન્ય-વિશેષ ન હોય તો એ ચેતના જ સિદ્ધ થતી નથી અને ચેતના સિદ્ધ થયા વિના દ્રવ્યનો સ્વભાવ ચેતના છે તો દ્રવ્ય સિદ્ધ થતું નથી. આહા..હા...! આવી ઝીણી વાતું ! મગજ આમાં જરી કેળવવું જોઈએ. થોડું થોડું...! પહેલો દોષ (આ આવે).
અહીં કોઈ આંશકા કરશે...’ જ્યારે પેલો નકાર કર્યો ને કે, બે અવસ્થાઓને છોડે તો ચેતના વસ્તુ નથી એવી પ્રતીતિ ઊપજે. ત્યારે શંકા કરી, શંકા નહિ પણ આશંકા (કરી). એટલે ? તમે કહો છો એ ખોટું છે એવું અમને નથી લાગતું પણ તમે કહો છો એ સમજાતું નથી. એનું નામ આશંકા. શંકા (એટલે) એ કે તમે કહો છો એ ખોટું (છે). તમે કહો છો હશે સત્ય પણ અમને સમજાતું નથી, શું તમે કહેવા માગો છો ? એવી આશંકા, જિજ્ઞાસા છે એ મૂકે છે.