________________
४८०
કિલશામૃત ભાગ-૫
સર્વ કાળે ભગવાન શુદ્ધ સ્વરૂપ છે. ચૈતન્યનું પૂર ધ્રુવ (છે), “: અસંખ્ય પ્રદેશી શાશ્વત સર્વ કાળે શુદ્ધત્વરૂપ છે). છે ને ? આમ તો સમુચ્ચય ત્રિકાળ કીધું પણ સર્વ કાળે શુદ્ધ
સ્વરૂપ છે. એ ચૈતન્યનું પૂર ધ્રુવ છે એ સર્વ કાળે શુદ્ધ સ્વરૂપ છે. આહા...હા...! ચાર શબ્દમાં (કેટલું ભરી દીધું છે). “સત્ત: સ્થિર’ ‘વિશ’ બત્ત આહા..હા...!
‘સર્વ કાળે શુદ્ધત્વરૂપ અને....” “નસ’ આહા..હા..! તે તો “સર્વ કાળે પ્રત્યક્ષ એવો છે. આહા.હા...! વસ્તુ છે એ ધ્રુવ વ્યક્ત છે. એ સર્વ કાળે પ્રત્યક્ષ જ છે. ચાર વિશેષણ વાપર્યા છે. આ..હા...! પ્રદેશે અસંખ્ય પ્રદેશ, કાળે સર્વ કાળ, ભાવે શુદ્ધ સ્વરૂપ, પ્રત્યક્ષમાં ત્રિકાળ પ્રત્યક્ષ. ત્રિકાળ પ્રત્યક્ષ લીધું. આહાહા...! અલૌકિક વાત છે ! શું કીધો એનો સરવાળો ?
આ ચૈતન્ય લક્ષણથી અંતર પૂરમાં ધ્રુવમાં ઢળતાં તે વસ્તુ કેવી છે ? અસંખ્ય પ્રદેશી છે, સર્વ કાળ શાશ્વત છે અને સ્વરૂપ શુદ્ધ (છે), એનું સ્વરૂપ શુદ્ધ છે અને તે સર્વ કાળે પ્રત્યક્ષ છે. આહા..હા...! આ કોઈ દિ સાંભળ્યું પણ નહિ હોય. વખત કયાં (છે)? બહારની વાત આડે નવરાશ ક્યાં છે ? આહા..હા..! બસ છે, એક જ વસ્તુ (બસ છે).
પહેલાં ચૈતન્યને જે પૂર કહ્યું હતું, ચૈતન્યપુરમાં નિમગ્ન કરે છે એમ કહ્યું હતું ને? છે ને ? માથે છે. “ત્રિકાળગોચર પ્રવાહમાં જીવદ્રવ્યને એકવસ્તુરૂપ – એમ સાધે છે;” આવ્યું હતું ને ? સાધે છે. એને એકરૂપ સાધે છે. પેલું બંધને સાધે એટલે જુદું પડી ગયું. આહા..હા...! એ ચૈતન્યનું પૂર જે ધ્રુવ (છે) એનું લક્ષણ તો વર્તમાન જ્ઞાન છે). એ જ્ઞાન સ્વપરગ્રાહક શક્તિનું લક્ષણ એનું (છે), એ સ્વપરગ્રાહક સ્વને પકડીને અંદરમાં એકરૂપ વસ્તુને કરે છે (-સાધે છે, અને તે વસ્તુ કેવી છે ? પૂર, નૂર, તેજ, પ્રવાહ ! તે અસંખ્ય પ્રદેશી છે, શાશ્વત છે, શુદ્ધ સ્વરૂપ છે, પ્રત્યક્ષ છે. આહા..હા...! કહો, ભાઈ ! માણસને આવું લૂખું લાગે. શેની વાત કરો છો આ? ભગવાન ! આ તારા સ્વરૂપની વાત છે. આહાહા...!
અસંખ્ય પ્રદેશમાં વસ્તુ સિદ્ધ કરી. બીજા લોકોમાં ક્યાંય આવી વસ્તુ સિદ્ધ નથી કરી. અને સર્વ કાળમાં શાશ્વત સિદ્ધ કર્યું, શુદ્ધ સ્વરૂપમાં પવિત્રપણું સિદ્ધ કર્યું અને પેલામાં પ્રત્યક્ષપણું સિદ્ધ કર્યું. આહા..હા..! જ્ઞાન અંદરમાં વળતાં એ પ્રત્યક્ષ થાય છે. એને કોઈ પરની અપેક્ષા રહેતી નથી. આહા...હા...! અલૌકિક વાત આવી છે ! એમાં આ છેલ્લો બોલ તો અલૌકિક
‘સત્ત:' એટલે અંદર અંદર એ ચીજ કેવી છે ? પૂર – એ અસંખ્ય પ્રદેશી છે. એનું ક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે, કાળ ત્રિકાળ છે, ભાવ શુદ્ધ સ્વરૂપ છે અને તે પણ પ્રત્યક્ષ થઈ શકે તેવું છે. આહા...હા...! સમજાણું કાંઈ ? આહાહા...! ગમે એટલી વાર કહો તોપણ) એમાં (કાંઈ પુનરુક્તિ દોષ નથી).
અહીં કહેવું છે શું ? ચૈતન્યસ્વરૂપને સાધે છે. એમ કહેવું છે ને ? અને રાગને બંધપણે