SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૧ જાય ત્યારે એવા વિકલ્પો હોય એ ભૂમિકાની વાત છે. અહીં તો હજી નિશ્ચયના ઠેકાણા નથી એ પાધરા વ્રત ને તપ કરવા માંડ્યા (એ વ્રત, તપ) કયાં હતા ? બાળવ્રત ને બાળતપ છે. મુર્ખાઈ ભરેલા વ્રત છે. આહા..હા...! - (અહીંયાં કહે છે), અજ્ઞાનભાવને નિયમથી બંધનો સ્વભાવ છે – એમ સાધે છે. ભાવાર્થ આમ છે કે રાગાદિ અશુદ્ધપણું કર્મબંધની ઉપાધિ છે, જીવનું સ્વરૂપ નથી એવું અનુભવગોચર થાય છે.’ એનો અર્થ ઈ કે એ રાગ અનુભવમાં આવતો નથી. અનુભવમાં જ્ઞાનાનંદ આવે છે એટલે રાગ બંધ ભાવમાં જુદો રહી જાય છે, એમ એનો અર્થ છે). આહા..હા...! ૧૮૧ કળશ બહુ જબ્બર કળશ ! ત્રણ-ચાર દિ’થી ચાલે છે. ત્રણ-ચાર દિ’ થયા ને ? કેટલા થયા ? ? ૪૭૯ ‘રાગાદિ અશુદ્ધપણું...’ રાગાદિ એટલે દયા, દાન, વ્રતના વિકલ્પ આદિ ‘અશુદ્ધપણું કર્મબંધની ઉપાધિ છે,...' ઈ તો કર્મબંધની ઉપાધિ છે. આહા..હા...! રાગ આદિ (એટલે) દયા આદિ ભાવ. દયા આદિ ભાવ એ શુભ રાગ છે, ઉપાધિ છે. આહા...હા...! ‘કર્મબંધની ઉપાધિ છે, જીવનું સ્વરૂપ નથી એવું અનુભવગોચર થાય છે.’ “કેવું છે ચૈતન્યપૂર ” માથે પૂર કહ્યું હતું ને ? પૂરું કીધું હતું ને ? ત્રિકાળગોચર પ્રવાહ...’ અંદર કહ્યું હતું. ત્રિકાળગોચર પ્રવાહ. એ પૂર કેવું છે ? આહા..હા...! ચાર શબ્દો અલૌકિક છે ! એ ચૈતન્યપૂર – જેમ નદીના પૂર હોય છે ને ? પ્રવાહ દળ, દળ ! એમ આ ચૈતન્યનું દળ ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ... પૂર છે, પૂર છે, પ્રવાહ છે. ધ્રુવનો પ્રવાહ છે. એવા ચૈતન્યના ધ્રુવના પ્રવાહનું પૂર કેવું છે ? ‘અન્ત:સ્થિરવિશવલસત્ક્રાનાિ’‘અન્તઃ’ ‘સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એકસ્વરૂપ....' જોયું ? અહીંયાં ક્ષેત્ર લીધું. ‘અન્તઃ’ સર્વ અસંખ્ય પ્રદેશમાં એકરૂપ વસ્તુ છે. આહા..હા..! છે ભલે અસંખ્ય પ્રદેશ પણ છે એકરૂપ વસ્તુ. અસંખ્ય છે માટે ભેદરૂપ અને અનેકરૂપ વસ્તુ છે એમ નથી, એમ કહે છે. ‘અન્તઃ’ ‘સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એકસ્વરૂપ... છે. એ એક બોલ (થયો). - બીજો બોલ – સર્વ કાળે શાશ્વત,.' છે. સ્થિર પૂર છે. અસંખ્ય પ્રદેશ એક(રૂપ) છે. પૂર.. પૂર.. ધ્રુવ (છે) એમાં સ્થિર છે એટલે શાશ્વત છે. ‘સર્વ કાળે શાશ્વત,...’ છે. આહા..હા...! અસંખ્ય પ્રદેશીનું એકરૂપ. એને ‘અન્તઃ’ કીધું. ‘અન્તઃ’ એનું સ્થિર રૂપ શાશ્વત શાશ્વત છે. કાળથી શાશ્વત છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશ એકરૂપ છે. ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશ એકરૂપ છે. આ વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય હોય નહિ. સમજાણું કાંઈ ? આહા..હા...! એટલે ‘અન્તઃ’માં એના અસંખ્ય પ્રદેશનું ક્ષેત્ર બતાવ્યું. ચૈતન્ય પૂર ધ્રુવ છે, જેમાં લક્ષણ વળી ગયું છે, એ ચૈતન્યપૂર અસંખ્ય પ્રદેશી એક વસ્તુ છે અને સ્થિર છે, શાશ્વત છે. પલટતું નથી, એકરૂપ ત્રિકાળ છે. આહા..હા...! બે (બોલ થયા). (હવે), ત્રીજું – સર્વ કાળે શુદ્ધત્વરૂપ...’ ભાવ વિશવ” છે. વિશદ વિશદ (અર્થાત્)
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy