________________
૪૭૮
કિલશામૃત ભાગ-૫
સમાધાન – ઈ આની કોર આવ્યું, બસ એટલું ! ત્યાં બંધને સાધે છે એમ થઈ ગયું. આ બાજુ વળવાનું નથી આવતું તો એ બંધને સાધે છે એમ કીધું. સાધવાના બે પ્રકાર ત્યાં ક્યાં છે ? આ ચૈતન્ય લક્ષણ આમ ગયું એ બંધને સાધે છે એમ કહેવું પણ) લક્ષણ તો અહીં (અંતરમાં) ગયું છે પણ એમાં બંધ જે છે એ વસ્તુ એમાં આવતી નથી. એટલે જુદાને સાધે છે. આહાહા..! આવો માર્ગ ! પાઠ છે ને ? જુઓને !
જ્ઞાનવે નિયમિતં વન્યું ર્વતી’ ભાષા તો એમ જ હોય ને ? અજ્ઞાનભાવે નિશ્ચયથી – નિયમથી, એમ. વળ્યું ર્વતી બંધનો સ્વભાવ છે (એમ) સાધે છે એટલે આ બાજુ વળી ગયો છે. બંધરૂપ છે એમ જાણીને) છૂટું પડી ગયું છે. સાધે છે એટલે બંધ છૂટો પડી ગયો છે. સમજાણું કાંઈ ? કોઈક કહે, આવો ધર્મ ક્યાંથી કાઢ્યો ? નિશ્ચયાભાસ છે. અમને તમે વ્યવહારાભાસ કહો (છો). અરે... ભગવાન ! મૂકી દે ને, બાપા ! એ નિશ્ચયાભાસ ને વ્યવહારાભાસ(ની) વાત મૂકી દે). આહા..હા..! એમ કહે કે, તમે વ્રત ને તપ ક્યાં કરો છો ? એકલી આત્મા આત્માની વાત કરો છો. પણ વ્રત ને તપ હોય ક્યાં ? એ ચોથે ગુણસ્થાને હોય ? અહીં વાત બીજી ચાલે છે. પંચ મહાવ્રત ને સમિતિ ને ગુપ્તિ ને આહાર આમ લેવો ને આમ ચાલવું, આમ બોલવું. પણ એ બધું હોય છે પણ કયે ગુણસ્થાને હોય છે ? એ તો પાંચમે-છઠું હોય છે. ચોથે એ અનુષ્ઠાન હોતું નથી. એ અનુષ્ઠાન ન કરે માટે નિયાભાસી છે એમ કેમ કહ્યું ?
મુમુક્ષુ :- અનુષ્ઠાન તો એને હોય જ છે. ઉત્તર – એ તો સમકિતનું હોય છે. મુમુક્ષુ :- અનંતાનુબંધીનો અભાવ થયો છે.
ઉત્તર :- ઈ નથી કહેતા. ઈ તો કહે કે, આ વ્રત ને તપ ને દીક્ષા લેવી ને દીક્ષા દેવી (એ અનુષ્ઠાન છે). કોઈને દીક્ષા દયો છો ? અહીં ૪૩ વર્ષ થયા કોઈને દીક્ષા આપી છે ? કોઈ પડિમાધારી થયો ? દીક્ષા તો નગ્ન મુનિ થાય ત્યારે દીક્ષા લીધી કહેવાય. એમ એ કહે છે. શું કરે ? આહાહા...! અહીં તો હજી સમ્યગ્દર્શન – પહેલી ભૂમિકાની વાત ચાલે છે. આહા..હા...એનું આચરણ – સમકિતનું આચરણ એમાં હોય. પણ એના આચરણમાં પેલા વ્રત ને તપ ને સમિતિ ને ગુપ્તિ ને આ ને તે ને દીક્ષા દેવી, ઈ એમાં
ક્યાં આવે છે ? ઈ એમ કહેવા માગે છે. અગિયાર-અગિયાર પડિમા (લ્ય), કેટલાયે દીક્ષા લીધી, સાધુ થયા. તમે ૪૩ વર્ષમાં શું કર્યું ?
મુમુક્ષુ :- બ્રહ્મચર્ય દીક્ષા ઘણાએ લીધી છે.
ઉત્તર :- બ્રહ્મચર્ય એ પણ શુભભાવ છે. એ પણ બહારમાં દેખાવું જોઈએ ને ? લૂગડાં છોડે, પડિમાં ધારણ કરે, લંગોટી પહેરે એવું ક્યાં કરે છે)? આહાહા...! પણ એ દશા આવે ત્યારે એ હોય, પણ એ દશા તો આચરણની દિશા છે). નિશ્ચય સ્વરૂપસ્થિરતા વધી