SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૧ એને વાળે છે. આહા..હા...! ભાવાર્થ આમ છે કે શુદ્ધચેતનામાત્ર જીવનું સ્વરૂપ છે એમ અનુભવગોચર થાય છે;...’ લ્યો ! જ્ઞાન પૂર્ણ પૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે, આ જ્ઞાનની પર્યાય એમ જાણે છે કે, આ પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, એમ અનુભવ કરે છે. સમજાણું કાંઈ ? બહુ સરસ વ્યાખ્યા છે ! શુદ્ધચેતનામાત્ર જીવનું સ્વરૂપ છે એમ અનુભવગોચર થાય છે;...' આ બાજુ વાળ્યું ને ? ‘અજ્ઞાનમાવે’ અજ્ઞાન એટલે રાગાદિ ભાવમાં નિયમિત વન્યું ર્વતી” ‘નિયમથી બંધનો સ્વભાવ છે – એમ સાધે છે.’ રાગ છે તે નિશ્ચયથી બંધનો સ્વભાવ છે અને આ જ્ઞાનનું લક્ષણ પૂરમાં પ્રવેશ કરે છે (ત્યારે) એકવસ્તુરૂપ થાય છે. બંધ જુદો પડી જાય છે. આહા..હા...! આ તો ધીરાના કામ છે. ૪૭૭ અંદ૨ એના લક્ષણોને પહેલાં જાણવા જોઈએ. જાણીને અંતરમાં પ્રયત્ન કરવામાં કઈ રીત છે ? જે જાણવાનું લક્ષણ છે એ પૂર નામ ધ્રુવ પ્રવાહ વહે છે. પર્યાયનો પ્રવાહ વહેતો નથી. પર્યાય તો પલટે છે. પર્યાય પલટે છે અને ધ્રુવનો પ્રવાહ વહે છે. એટલે કાયમ છે... છે... છે... છે... છે... છે... એ ત૨ફમાં જ્ઞાનની પર્યાયને વાળી એકરૂપ કરવી. આહા..હા....! આ એક લીટીએ બસ છે. સમ્યગ્દર્શન પામવા અને અનુભવ થવામાં આ પ્રકા૨ છે. એ પ્રકા૨ને તો હજી સમજવો નથી, જાણવો નથી, પ્રગટ કરવો નથી અને એ વિના બધા વ્રત ને તપ ને કરીને ધર્મ માનવો છે). એ તો બધા અજીવ છે, એ તો બંધ લક્ષણવાળા છે. બંધ લક્ષણવાળામાં રોકાય અને અબંધનું પૂર જે ચૈતન્ય પ્રવાહ વહે છે એમાં લક્ષણને (લઈ જઈ) લક્ષ કરતો નથી તે અજ્ઞાની ત્યાં રાગના બંધમાં રોકાય જાય છે. આહા..હા...! જરી બુદ્ધિને આમાં ઝીણી કરવી પડે છે. જે જ્ઞાન જાણવાના લક્ષણને પકડે, હજી તો જ્ઞાન જાણનાર છે ઈ પર્યાય, હોં ! એને પકડીને પછી અંતર ધ્રુવ પ્રવાહ વહે છે. નિત્યાનંદ ધ્રુવ પ્રવાહ ચાલ્યો જાય છે એમાં મગ્ન કરે અને રાગ આદિ બંધ ભાવને છોડી રે. પ્રશ્ન :- આમ કરે ત્યાં રાગ છૂટી જાય ? સમાધાન :- સમજાવવામાં શું સમજાવે ? સમજાવવું હોય તો એમ કહે કે, આમ થાય તો આ છૂટી જાય, એમ. છૂટવું કરે એમ કહેવાય ને ? ભાષા શું કરે સમજાવવાની ? એમ આવે છે, જુઓ ! - ‘અજ્ઞાનભાવે’‘રાગાદિપણામાં નિયમથી બંધનો સ્વભાવ છે એમ સાધે છે.’ રાગ જુદો પાડે છે એમ ભલે ત્યાં ન આવ્યું, પણ આ જ્ઞાન ધ્રુવ પ્રવાહમાં વાળે છે. (અજ્ઞાનભાવે) રાગને બંધ ભાવમાં સાધે છે એટલે બંધ ભાવમાં ચાલ્યો ગયો છે, ઈ ૫૨માં ચાલ્યો ગયો છે. એમ. સમજાણું કાંઈ ? બહુ ઝીણું આવ્યું. પ્રશ્ન :– ભેદજ્ઞાન અને પ્રજ્ઞાછીણીમાં શું આતો ?
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy