SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૧ ૪૧૯ છે. કર્મના અભાવ થવું એનો તો ગુણ છે. એટલે અહીંયાં અભાવરૂપે પરિણમ્યો. એ કર્મ છૂટ્યા માટે અભાવરૂપે પરિણમ્યો એમ નહિ. આહાહા...! ઘણી ગંભીરતા !! સર્વથા સકળ કર્મોનો ક્ષય.. સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે” ભેદજ્ઞાન થઈને સ્વરૂપની પ્રાપ્તિ (થવી તે) તો નિર્વિકલ્પ છે. પર્યાય, હોં ! વસ્તુ તો નિર્વિકલ્પ છે જ, પણ રાગથી ભિન્ન પડ્યો તો પરિણમન શુદ્ધત્વ (થયું) તે નિર્વિકલ્પ છે. રાગના અભાવસ્વભાવ સ્વરૂપ છે. આહાહા...! “તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી.” શું કહે છે, જોયું ? શું તમે પૂછ્યું અને શું આમાં કહેવું ? કહે છે. હમણાં કહેશે. “તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી.” આહા...હા...! “તેથી એવા રૂપે કહેવાય છે. તેથી એવા રૂપે કહેવાય છે એમ કહે છે. સીધું વચન દ્વારા પૂર્ણ કહી શકાય એમ નથી. ત્યારે એને એવી રીતે કહેવાય છે. કહેવાય એવું નથી છતાં એને એવી રીતે કહેવાય છે. એમ બે ભાષા (કરી). આહા..હા...! ટીકા કરી છે તે પણ !! કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ, લ્યો ! આમ કહેવાય. પહેલું તો એમ કહ્યું કે, “સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે, તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી. તેથી એવા રૂપે કહેવાય છે કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ,...” આ આટલું કહેવાય એમ છે. જ્ઞાનગુણ એટલે આત્મા શુદ્ધરૂપે પરિણમે છે, બસ ! આ આટલું કહેવાય છે. આહા..હા...! (તમારા) ચોપડામાં આવા લેખ પણ કોઈ દિ આવ્યા ન હોય. આહા..હા..! એક એક શબ્દ કેટલી ગંભીરતા ભરી છે !! આમ ઉપરટપકે વાંચી જાય અને પછી (કહે) આમથી પણ સમજે. પણ સાંભળ તો ખરો, ધીરો તો થા. ઉપરટપકે નહિ, અંદરટપકેથી જો. આહા...હા...! મુમુક્ષુ :- આપ વારંવાર કહો છો તો પકડાય છે. ઉત્તર :વાત સાચી. ઝીણી વાતના પડખાં (ઘણા). આહાહા..! આવી વાત કયાં છે ? બાપા ! આહા...હા...! વીતરાગમાર્ગ સંતો(એ) સહેલો કરી દીધો. “અનુભવ પ્રકાશમાં આવે છે. સંતોએ સહેલો માર્ગ કર્યો છે. દિગંબર મુનિઓ ! આ..હાહા...! તદ્દન સાદી ભાષામાં સહેલો કરી નાખ્યો છે. આહા...હા...! એવી વાત બીજે ક્યાંય છે નહિ. આહા..હા..! “દીપચંદજી કહે છે, સંતોએ માર્ગ સહેલો કરી દીધો છે. ભગવાન ! તારું શુદ્ધ દ્રવ્ય છે ને ? એ શુદ્ધ રૂપે પરિણમે એનું નામ ધર્મ (અને) પૂર્ણ પરિણમે એનું નામ મોક્ષ. બાકી બીજું શું કહીએ અમે ? (કેમકે) પહેલા તો ના પાડી ને ? વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી). શી રીતે કહેવું એને ? એક સમયમાં બંધ છૂટો થઈને મોક્ષની પરિણતિ આવે ! આહા..હા...! એમ કહેવાય કે જ્ઞાનગુણ શુદ્ધરૂપે પરિણમી ગયો, બસ ! આહા..હા...! તે મોક્ષનું કારણ છે.” જોયું ? આ..હા...! તેનું સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપના
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy