SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ કિલશામૃત ભાગ-૫ પર્યાય છે. ઈ પુગલની એક પર્યાય છે. કર્મરૂપે પરિણમે ઈ પુગલની પર્યાય છે. ઈ પર્યાય છોડે. આહા...હા...! જીવના પ્રદેશોથી સર્વથા અબંધરૂપ થઈ.” જોયું ? ‘સર્વથા” શબ્દ આવ્યો. એ સર્વથા (શબ્દ) પાંચ-છ વાર આવશે. જ્યારે એ પુદ્ગલદ્રવ્ય સર્વથા અબંધરૂપ થઈ સંબંધ છૂટી જાય, જીવ-પુગલ બન્ને ભિન્ન ભિન્ન થઈ જાય, તેનું નામ મોક્ષ કહેવાય છે. લ્યો ! મોક્ષ કહેવું છે ને? સમ્યગ્દર્શનમાં પણ પહેલો છૂટો પડે છે પણ) ત્યાં હજી મોક્ષ નથી. હજી પર્યાયમાં અશુદ્ધતાનો સંબંધ છે. સમજાણું કાંઈ ? સમ્યગ્દર્શનમાં દ્રવ્ય છુટું પડી ગયું. દ્રવ્યકર્મ-ભાવકર્મથી છૂટું તો પડ્યું પણ શ્રદ્ધા અને જ્ઞાનના પરિણમનની અપેક્ષાએ છૂટું પડ્યું, હજી અસ્થિરતાની અપેક્ષાએ પર્યાયનો સંબંધ છે. આહા...હા....! માટે અહીં સર્વથા (શબ્દ વાપર્યો છે). આહા..હા...! સર્વથા અબંધરૂપ થઈ સંબંધ છૂટી જાય...” જોયું? પહેલું તો સમ્યગ્દર્શનમાં જ અબંધ પરિણામની દશા પ્રગટે છે. “નો પસ્સદ્ધિ પ્રાપ એવદ્ધપુદ્દે મUTUUવિસે' એ તો સમ્યજ્ઞાનની વાત છે, (‘સમયસારમાં) સમ્યગ્દર્શનની ચૌદમી (ગાથામાં), સમ્યજ્ઞાનની પંદરમી (ગાથામાં વાત છે, પણ ત્યાં દર્શન-જ્ઞાનમાં અબંધ સ્વરૂપનું જ્ઞાન અને દર્શન થાય છે પણ હજી અબંધ સ્વરૂપમાં પર્યાયમાં મુક્તિ નથી. સમજાણું કાંઈ ? આહા...હા...! - “જીવ-પુગલ બન્ને ભિન્ન ભિન્ન થઈ જાય, તેનું નામ મોક્ષ કહેવાય છે. આહા..હા...! તે ભિન્ન ભિન્ન થવાનું કારણ આવું કે મોહ-રાગ-દ્વેષ ઈત્યાદિ વિભાવરૂપ અશુદ્ધ પરિણતિના મટવાથી...” અશુદ્ધ પરિણતિના વ્યયથી “જીવને શુદ્ધત્વરૂપ પરિણમન.” આહા..હા..! હવે ઈ ઉત્પાદ થયો. અશુદ્ધ પરિણમનનો નાશ અને શુદ્ધ પરિણમનની ઉત્પત્તિ. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. પર્યાયમાં જે અશુદ્ધતા હતી તેનો નાશ થયો) અને પર્યાયમાં શુદ્ધતાની પરિણતિ (પ્રગટ થઈ). આહા...હા...! કેટલું ગંભીર !! ભિન્ન ભિન્ન) થઈ જાય છે. છે ? તે ભિન્ન ભિન્ન થવાનું કારણ આવું કે મોહ-રાગ-દ્વેષ ઈત્યાદિ વિભાવરૂપ અશુદ્ધ પરિણતિના મટવાથી જીવને શુદ્ધત્વરૂપ પરિણમન. તેનું વિવરણ આમ છે કે શુદ્ધત્વપરિણમન સર્વથા સકળ કર્મોનો ક્ષય કરવાનું કારણ છે.” જોયું ? શુદ્ધત્વ પરિણમન, એમ કહ્યું. આહા...હા...! અશુદ્ધતા પરિણમન એ મોક્ષનું કારણ નથી, એ તો બંધનું કારણ છે. આહા..હા..! ‘તેનું વિવરણ આમ છે કે શુદ્ધત્વપરિણમન સર્વથા સકળ કર્મોનો ક્ષય કરવાનું કારણ છે.” જોયું ? બીજીવાર આવ્યું. પહેલું એમ કહ્યું કે, સર્વથા અબંધરૂપ થઈ અને સર્વથા સકળ કર્મનો ક્ષય થાય. સર્વથા આવ્યું ! આહા..હા...! એવું શુદ્ધત્વપરિણમન સર્વથા.” ત્રીજીવાર આવ્યું. “સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે....” આહા..હા...! શુદ્ધ દ્રવ્ય છે તેનું શુદ્ધત્વ પરિણમન એ શુદ્ધ દ્રવ્યનું છે. આહા..હા..! એમાં કોઈ અશુદ્ધતાનો અંશ નિમિત્ત છે નહિ. શુદ્ધ દ્રવ્યનું જ ઈ પરિણમન છે. કર્મનો અભાવ થયો માટે શુદ્ધ પરિણમન થયું એમ પણ નહિ. કેમકે એનામાં અભાવ નામનો તો ગુણ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy