SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૧ છે ચૈતન્યપૂર ? ‘અન્ત:સ્થિરવિશવનસદ્ધામ્નિ' (અન્તઃ) સર્વ અસંખ્યાત પ્રદેશોમાં એકસ્વરૂપ, (સ્થિર) સર્વ કાળે શાશ્વત, વિશવ) સર્વ કાળે શુદ્ધત્વરૂપ અને (લસત્ સર્વ કાળે પ્રત્યક્ષ એવો છે (ધામ્નિ) કેવળજ્ઞાન-કેવળદર્શન-તેજ:પુંજ જેનો, એવું છે. ૨–૧૮૧. प्रज्ञाछेत्री शितेयम कथमपि निपुणैः पातिता सावधानैः सूक्ष्मेऽन्तः सन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य । आत्मानं मग्नमंद: स्थिरविशदलद्धाग्नि चैतन्यपूरे बन्धं चाज्ञानभावे नियमितभितः कुर्वती भिन्नभिन्नौ । । २-१८१ । । ૪૧૭ ઉપદેશમાં તો શું કહે ? આમ કરવું અને આમ ભિન્ન પાડવું, બંધને ભિન્ન પાડવો. પણ આમ કરે ત્યાં ભિન્ન પડે જ છે. સમજાવવામાં તો શું સમજાવવું ? કથનની એવી શૈલી. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય તથા કર્મપર્યાયરૂપ પરિણત પુદ્ગલદ્રવ્યનો પિંડ,... એમ લીધું. કર્મ લીધું છે ને ? ‘તે બન્નેનો એકબંધપર્યાયરૂપ સંબંધ...’ છે ને ? ‘એકબંધપર્યાયરૂપ સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવ્યો છે;...' આહા..હા...! દ્રવ્ય સ્વરૂપ તો કાયમ – ત્રિકાળ મુક્ત છે. એની પર્યાય – એક સમયની પર્યાય રાગના સંબંધમાં અટકી છે, બસ ! આ..હા..હા...! એ તો અતીન્દ્રિય આનંદ પૂર્ણ સ્વરૂપ જ છે. પણ એક સમયની પર્યાય રાગમાં અટકી એટલું દુઃખ છે. પર્યાયમાં, હોં ! અંદર તો પૂર્ણ આનંદ છે. આહા..હા...! પૂર્ણ આનંદસ્વરૂપ ભગવાન ધ્રુવ ! એ તો છે ઈ છે, પણ પર્યાયમાં એક સમયની દશામાં બંધનો – રાગનો સંબંધ છે. છે ? એ ચાલ્યો આવ્યો છે; ત્યાં એવો સંબંધ જ્યારે છૂટી જાય, જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે. રાગ છૂટી જાય અને આત્મા શુદ્ધ સ્વરૂપે પરિણમે. આહા..હા...! આ પર્યાયની વાત છે ને ? અનંત ચતુષ્ટયરૂપ પરિણમે...' લ્યો ! શુદ્ધ સ્વરૂપે પરિણમે' એની વ્યાખ્યા કરી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય – એ રૂપે પરિણમે. શક્તિરૂપ તો અનંત જ્ઞાન, અનંત દર્શન તો છે, ત્રિકાળ છે. ધ્રુવરૂપે અનંત જ્ઞાન, દર્શન ચતુષ્ટય તો છે પણ પર્યાયરૂપે અનંત ચતુષ્ટય પ્રગટે... આહા..હા...! એને અહીંયાં મોક્ષ કહે છે. ? તથા પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયને છોડે...' શું કહે છે ? કર્મનો નાશ થાય એમ ન કહેતાં કર્મની પર્યાયને પુદ્ગલ છોડે. જે પુદ્ગલ કર્મની પર્યાયપણે પરિણમ્યું છે, એ પર્યાયપણે પરિણમવાનું છોડે, બસ એટલું. આહા..હા..! છે ? ‘જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયને છોડે...’ કર્મપર્યાયને છોડે. કોણ ? જ્ઞાનાવરણાદિ કર્મપર્યાયને છોડે. કર્મપર્યાય છે ને ? એ ?
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy