SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ કિલશામૃત ભાગ-૫ અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે.” ભાષા આટલી કરી. શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે.” શુદ્ધત્વપરિણમનથી સહિત છે. આહા...હા...! એકલું શુદ્ધ દ્રવ્ય જેવું મુક્ત હતું એવું જ શુદ્ધ પરિણમન મુક્ત પર્યાય થઈ એનું નામ મોક્ષ કહેવાય છે, કહે છે. વિશેષ કહેશું... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) માગશર વદ ૧૦, બુધવાર તા. ૦૪-૦૧-૧૯૭૮. કળશ-૧૮૧, પ્રવચન–૧૯૩ કળશટીકા' ૧૮૧ કળશ છે. નીચે છે. તેનું સમાધાન આમ છે કે...... છે ને ? નીચેની લીટી છે. “શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન....” શું કહે છે ? કે, જ્ઞાન એટલે આ આત્મા, વિકાર – પુણ્ય-પાપ ને દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામથી રહિત, એવો જે આત્મા તે શુદ્ધ આત્માનું પરિણમન – વીતરાગી દશા છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે.” શું કીધું ? સ્વરૂપનો અનુભવ જે છે; ક્રિયા નહિ, આ વ્રત ને તપ ને ભક્તિ આદિ ક્રિયાકાંડ છે એ તો રાગ છે, એ કંઈ મોક્ષનો માર્ગ છે જ નહિ. આવી વાત છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ (અર્થાતુ) ચેતન્ય નિર્મળ આનંદની સન્મુખ થઈને અનુભવ થવો, આનંદનો અનુભવ થવો, શુદ્ધ જ્ઞાનની દશાનું વદન થવું, સમ્યગ્દર્શનની પર્યાય શુદ્ધ છે તેની પ્રતીત થવી, એવા અનંત ગુણો જે શુદ્ધ છે એનો વર્તમાનમાં પર્યાયમાં અનુભવ થવો તે મોક્ષનો માર્ગ છે. છે ? “જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે. આહા...હા...! વ્રત, ભક્તિ , દયા, દાન એ તો વિકલ્પ અને રાગ છે. એ કંઈ મોક્ષનો માર્ગ નથી. આહા...હા..! ઝીણી વાત બહુ, ભાઈ ! છે ? “જીવના શુદ્ધત્વપરિણમનથી...” કોણ ? સ્વરૂપનો જે અનુભવ. શુદ્ધ સ્વરૂપનો જે અનુભવ છે) એ “શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે.” શુદ્ધ સ્વરૂપનો અનુભવ શુદ્ધત્વપરિણમનથી સહિત છે એમ સિદ્ધ કર્યું. શું કહ્યું? આહાહા...! ભગવાનઆત્મા તો શુદ્ધ ચૈતન્યઘન (છે), એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામથી પણ એ ભિન્ન ચીજ છે, એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ, તેને અનુસરીને આનંદનું વેદન આદિ થવું એ શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે. પહેલું તો કીધું કે, અનુભવસહિત છે. એટલે શું કહ્યું? એમ કહ્યું કે, શુદ્ધ સ્વરૂપનો જે અનુભવ તે શુદ્ધ પરિણમનથી સર્વથા સહિત છે એમ કહ્યું. સહિત છે
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy