________________
૪૦૬
કલશામૃત ભાગ-૫
વપુરુષો દિધાન્ય’ બંધ એટલે કર્મ અને પુરુષ એટલે આત્મા. છે ને ? ભાવકર્મ, નોકર્મ બધી ઉપાધિ છે. પુણ્ય અને પાપના ભાવ અને શરીર અને પુરુષ એટલે જીવદ્રવ્ય. તેમની....” “દિધાકૃત્ય “સર્વ બંધ હેય, શુદ્ધ જીવ ઉપાદેય આહાહા..! સર્વ બંધ હેય (છે). રાગાદિ સૂક્ષ્મ હોય પણ (તે) હેય (છે) અને શુદ્ધ જીવ ઉપાદેય (છે) એમ બેને જુદા પાડતા મોક્ષ થાય છે, એમ કહે છે. છે ને ?
“એવા ભેદજ્ઞાનરૂપ પ્રતીતિ ઉપજાવીને. આહા.હા....! “આવી પ્રતીતિ જે રીતે ઊપજે છે. તે કહે છે.” પ્રતીતિ કેમ ઊપજે છે ? એ વિશેષ કહેશે....
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૭, મંગળવાર તા. ૦૩-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૦, ૧૮૧ પ્રવચન–૧૯૨
કળશટીકા' ૧૮૦ (કળશ) ચાલે છે ને ? પાછળનો ભાગ છે. “સર્વ બંધ હેય, શુદ્ધ જીવ ઉપાદેય’ આવ્યું છે ? બહુ ટૂંકામાં કહ્યું. રાગાદિ બધા હેય છે. ચાહે તો વ્યવહાર રત્નત્રયનો રાગ હોય. એને આરોપથી રત્નત્રય કહ્યાં છતાં તે હેય છે – છોડવા લાયક છે. કેમકે એ બંધ છે અને જીવનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય (તે) ઉપાદેય છે. એટલે કે શુદ્ધ ચૈતન્ય ઉપર નજર કરતાં જે એનો આદર થાય તેમાં આનંદની દશા પ્રગટ થાય એથી તે શુદ્ધ આત્મા ઉપાદેય છે. બંધદશા એ દુઃખરૂપ છે. ચાહે તો શુભરાગ હો કે અશુભ હો, એથી હેય છે. છે ? આવ્યું ને ?
“એવા ભેદજ્ઞાનરૂપ પ્રતીતિ ઉપજાવીને રાગ અને આત્મા બેના ભેદજ્ઞાનને ઉપજાવીને, બેના જુદાપણાના ભાવને પ્રગટ કરીને આત્મા જુદો પડી જાય છે. હવે કહે છે, કઈ રીતે? આવી પ્રતીતિ જે રીતે ઊપજે છે તે કહે છે...” “પ્રજ્ઞક્ષિwવર્તન” પ્રજ્ઞાનો અર્થ શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય...” પ્રજ્ઞાનો અર્થ આ. છે પ્રજ્ઞા પર્યાય, પણ એ પર્યાયમાં આવ્યું છે શુદ્ધ જીવદ્રવ્ય. એથી પ્રજ્ઞાનો અર્થ શુદ્ધ જીવદ્રવ્ય કર્યો.
મુમુક્ષુ :- પ્રજ્ઞા તો જીવની પર્યાય છે.
ઉત્તર :- પ્રજ્ઞા તો પર્યાય છે, કીધું નહિ ? છીણી છે. પણ એ પર્યાય દ્વારા શુદ્ધ જીવદ્રવ્ય જ્ઞાનમાં આવે છે માટે એને પ્રજ્ઞાને શુદ્ધ જીવદ્રવ્ય કીધું. આહા...હા..! પંચમભાવ – પારિણામિકભાવ નિયમસારમાં આવે છે ને ? પંચ પરાવર્તનને છોડીને પંચમભાવને પંચમગતિ માટે પરમપુરુષો સ્મરે છે, સ્મરણ કરે છે. આહા...હા...! સંસારના પંચપરાવર્તન – દ્રવ્ય,