SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૮૦ ૪૦૫ સુખી નથી. દુઃખી છે, દુ:ખી. પ્રશ્ન :- હજાર રૂપિયાવાળો ઝાઝો દુઃખી ને લાખવાળો સુખી છે ? સમાધાન – સંખ્યા પ્રમાણે દુઃખી નહિ, એની મમતા પ્રમાણે દુઃખી (છે). ચક્રવર્તીનું રાજ હોય અને મમતા થોડી હોય અને રહેવાને (માટે) કૂબો હોય એને મમતા ઘણી હોય. સંખ્યા ઉપર (સુખી, દુઃખી) નથી કે, કરોડો રૂપિયા) હોય તો મમતાવાળો (છે) એવું કાંઈ છે નહિ. આહા...હા...! છ ખંડના રાજ સમકિતીને ચક્રવર્તી ભરત ને (હતા) પણ આસક્તિ ઘણી અલ્પ (હતી). આસક્તિ છે પણ) અલ્પ (છે). જેમાં અનંતાનુબંધીની આસક્તિ તો ટળી ગઈ છે. આહાહા...અનંત અનુબંધ – સંસારના કારણની આસક્તિ તો ટળી ગઈ છે. મિથ્યાદૃષ્ટિને ભલે એક પૈસો પણ ન હોય, શરીર એક જ હોય તોપણ અનંતાનુબંધીની એટલી આસક્તિ છે (કે) અનંત સંસારના કારણની આસક્તિ પડી છે. એટલે સંયોગી ચીજ ઝાઝી-થોડી (હોય) એના ઉપર એનું – આસક્તિનું પ્રમાણ નથી. આહા..હા..! સમજાણું કાંઈ ? આમ “મોક્ષનું ફળ અતીન્દ્રિય સુખ છે. શું કરતું થયું જ્ઞાન પ્રગટ થાય છે ?’ પુરુષમ્ સાક્ષાત્ મોક્ષ નયત્' આહા...હા...! પુરુષ એટલે જીવદ્રવ્ય. પુરુષ એટલા આ પુરુષ એમ નહિ. પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં વ્યાખ્યા કરી છે ને ? પુરુષ એટલે પોતાના જ્ઞાન, આનંદને સેવે તે પુરષ. પોતાના જ્ઞાન ને આનંદને સેવે એ પુરુષ. આહા...હા...! પુરુષ એટલે “જીવદ્રવ્યને.” “સાક્ષાત્ મોક્ષ “સકળ કર્મનો વિનાશ.” સાક્ષાત કેમ કહ્યું? કે, મોક્ષસ્વરૂપ તો છે. હવે સાક્ષાત મોક્ષ પમાડતું. આહા...હા...! પર્યાયમાં પૂર્ણ આનંદનો મોક્ષ પમાડતું જ્ઞાન પ્રગટ થયું. છે ? “સકળ કર્મનો વિનાશ થતાં શુદ્ધત્વ-અવસ્થાના પ્રગટપણારૂપ...” શુદ્ધત્વ-અવસ્થાનું પ્રગટપણું) એવો મોક્ષ. “યત્ન પરિણમાવતું થકું.” આહા..હા....! પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તે જ રીતે પર્યાયમાં પૂર્ણ શુદ્ધપણાને “નયે પ્રાપ્ત કરાવતું થકું. પૂર્ણ શુદ્ધની પર્યાયને પરિણમાવતું થયું. આહા...હા...! આવો ભાવ અને આવી બધી ભાષા ! “નયે છે ને ? (એટલે કે) પમાડતું, પમાડતું. ભાવાર્થ આમ છે કે અહીંથી આરંભ કરીને સાળકર્મક્ષયલક્ષણ મોક્ષના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. વળી કેવું છે ? ઉત્કૃષ્ટ છે.” મોક્ષ દશા તે ઉત્કૃષ્ટ દશા છે. ભગવાન આત્મા જગતમાં સર્વોત્કૃષ્ટ વસ્તુ હોય તો તે આત્મા છે. પણ એનો મોક્ષ પણ સર્વોત્કૃષ્ટ છે, કહે છે. આહા...હા...! આહાહા...! “ઉત્કૃષ્ટ છે.’ વળી કેવું છે ?’ ‘૩૫ર્મેનિયતમ્” “એક નિશ્ચયસ્વભાવને પ્રાપ્ત છે.” શું કહે છે ? એકરૂપ સ્વભાવ જે પૂર્ણ છે તે) એક નિશ્ચય પ્રાપ્ત છે. વિભાવનો અંશ નથી, સ્વભાવની અપૂર્ણતા નથી. વિભાવનો અંશ નથી અને સ્વભાવની અપૂર્ણતા નથી. આહા...હા...! “એક નિશ્ચય સ્વભાવને પ્રાપ્ત છે.” આહા..હા...“શું કરતો થકો આત્મા મુક્ત થાય છે?
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy