SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ કલશામૃત ભાગ-૫ પણ વીતરાગી પર્યાય છે. જિન સ્વરૂપ ત્રિકાળી છે એનો અનુભવ થઈને પ્રતીતિ – સમ્યગ્દર્શન કરવું એ પણ વીતરાગી પર્યાય છે. વસ્તુ જિન સ્વરૂપ, એનો માર્ગ જિન સ્વરૂપ, એનું ફળ પૂર્ણ જિન સ્વરૂપ. આ..હા...હા..! આવું છે. વળી કેવી છે ?” “UIનાં રાત્રિીના ૩યં તાર” જોયું ? ભાષા એવી આવી. ‘કર્મબંધના કારણ એવા જે રાગ-દ્વેષ....” જોયું ? પુણ્ય અને પાપના ભાવ, રાગ-દ્વેષ ભાવ.. આહા...હા..! “મોહરૂપ અશુદ્ધ પરિણામ...” આહા...હા...! છે ? તેમના પ્રગટપણાને મૂળથી જ ઉખાડતી થકી,...” આ...હા...હા...! જોયું ? મૂળથી કીધું, જોયું ? તારય) છે ને ? વિદારે છે, વિદારી નાખે છે. શુદ્ધ પરિણતિ દ્વારા અશુદ્ધ પરિણતિ વિદારાય – નાશ થઈ જાય છે. આહા...હા...! જેમ કરવત વડે લાકડાના બે કટકા થઈ જાય છે એમ રાગ અને ભગવાન આત્માના ભેદજ્ઞાન દ્વારા બે જુદા પડી જાય છે. આહા...હા...! “મૂળથી જ ઉખાડતી થકી. કેવી રીતે ઉખાડે છે?” “” ભાષા વાપરી છે ! નિર્દયપણે ! નિર્દયપણે ! આહા...હા...! નિર્દયપણે વિચારે છે. જરી પણ દયા રાખતો નથી કે આ રાગનો અનાદિ સંબંધ છે તો કેમ તોડું ? આહા..હા..! પરમાત્મપ્રકાશમાં કહ્યું છે. રાગ એ અનાદિનો બંધવ હતો ને ? બંધુનો મારનાર તું છો. સંબંધ અનાદિનો (છે). રાગ. રાગ. રાગ.... રાગ... રાગ... રાગ... રાગ... એ તો ભાઈબંધ હતો, બંધુ હતો. ધર્મી એ બંધુને છેદી નાખે છે. આહા...હા...! સમજાણું કાંઈ ? નિર્દયપણાની માફક.” આ..હા...! નિર્દયપણે કરીને એટલે જરી પણ અંશ ન રહે. ચીરી નાખે ! આહાહા..! નાનામાં નાનો રાગનો અંશ છે અને પ્રભુ ભિન્ન છે, એમ બેને ભિન્ન પાડી નાખે છે. ભેદજ્ઞાનજ્યોતિ તે બેને જુદા પાડી નાખે છે. આહા...! એક કોર પ્રભુ ચૈતન્ય અને એક કોર રાગનો અંશ. અંદર ભેદજ્ઞાનજ્યોતિ એ બેને જુદા પાડી નાખે છે. આહા...હા..! કોની પેઠે? કરવતની પેઠે. એ વિશેષ લેશે. (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !) માગશર વદ ૬, રવિવાર તા. ૦૧-૦૧-૧૯૭૮. કળશ-૧૭૯, ૧૮૦ પ્રવચન–૧૯૧ “કળશટીકા ૧૭૯ (કળશનો) છેલ્લો થોડો અધિકાર છે. ‘ાર્ય વર્ચે અધુના સ: ઇવ પ્રમુઈ’ છે છેલ્લું ? (ઉપરથી) ત્રીજી લીટી. શું કહે છે ? - રાગાદિ અશુદ્ધ પરિણામો હોતાં....” આત્મામાં રાગ, દ્વેષ અને મિથ્યાત્વ થતાં નવા કર્મ ક્ષણે ક્ષણે આવે છે. એને રોકવા માટે... છે ને ? ધારાપ્રવાહરૂપ થનારા પુદ્ગલકર્મના
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy