________________
કળશ-૧૭૯
૩૯૫ બંધને...” (સ: ) જે કાળે રાગાદિ મટ્યા તે જ કાળે મટાડીને.” શું કીધું ? આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો આશ્રય લઈને જે કાળે રાગાદિ મટે તે કાળે કર્મ પણ મટી જાય છે.
જે સમયે આત્મા પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન, શુદ્ધ ચૈતન્ય નિત્ય ધ્રુવ ! એ ધ્રુવનો આશ્રય કરતાં પ્રથમ સમ્યગ્દર્શન થાય છે ત્યારે મિથ્યાત્વ (ભાવ) ટળે છે, ત્યારે મિથ્યાત્વ કર્મ પણ ટળે છે. વિશેષ શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક ધ્રુવનો વિશેષ આશ્રય લેતાં ચારિત્ર થાય છે, આનંદની દશા વધે છે તેમ તે રાગની – દુઃખની દશા ઘટે છે, તેમ કર્મનું આવવું પણ અટકી જાય છે. સમજાણું કાંઈ ?
જે કાળે રાગાદિ મટ્યા તે જ કાળે મટાડીને.” આ..હા...હા...! ચૈતન્ય ભગવાન જિનસ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ જિન સ્વરૂપ છે, એનો આશ્રય લેતાં વીતરાગતા જેટલે અંશે પ્રગટે તેટલે અંશે અંદર રાગની અશુદ્ધતાનો નાશ થાય છે. આ..હા..! છેલ્લું છે ને ? છેલ્લો કળશ (છે). અને પૂર્ણ આશ્રય લેતાં વીતરાગતા પૂર્ણ થતાં પૂર્ણ રાગ, દ્વેષનો નાશ થાય છે એટલે નવા કર્મનું પણ આવવું થતું નથી.
કેવો છે બંધ ? જ્ઞાનાવરણ, દર્શનાવરણ ઈત્યાદિ અસંખ્યાત લોકમાત્ર છે.” આઠ કર્મ છે ને ? એ અસંખ્યાત લોકમાત્ર કર્મના રજકણોની, સ્કંધની સ્થિતિ છે). એ કર્મ અટકી જાય છે એમ કહેવું છે. ભગવાન આનંદસ્વરૂપ આત્મા ! એનું અવલંબન લઈને જે આનંદ પ્રગટે તે જ કાળે તેના વિરુદ્ધના રાગનો નાશ થાય છે અને તે જ કાળે કર્મના નિમિત્તનો પણ અભાવ થાય છે.
કેવો છે બંધ? જ્ઞાનાવરણ, દર્શનાવરણ ઈત્યાદિ અસંખ્યાત લોકમાત્ર છે. કોઈ વિતર્ક કરશે...... છેલ્લો સાર કહે છે. કે આવું તો દ્રવ્યરૂપ વિદ્યમાન જ હતું.” શું કહે છે ? વસ્તુ તો આવી રીતે વિદ્યમાન જ હતી. મુક્ત થાય, મુક્ત થાય એમ તમે કહો છો પણ વસ્તુ તો મુક્તસ્વરૂપ જ હતી. શું કહ્યું? શિષ્યનો આ પ્રશ્ન છે કે, આ આત્મા છે એ તો દ્રવ્ય વસ્તુ પ્રગટ, ત્રિકાળ પ્રગટ જ છે, શુદ્ધ જ છે. એમાં પ્રગટશે એમ જે આપે કહ્યું એ શું? વસ્તુ તો અંદર પ્રગટ છે. ચૈતન્ય આનંદ, જ્ઞાનાદિ ગુણનો પિંડ તો પ્રગટ છે. છે ?
“આવું તો દ્રવ્યરૂપ વિદ્યમાન જ હતું. એમાં તમે કીધું કે, પ્રગટ્યું – ઈ શું કહો છો ? છે તો એ ચીજ અનાદિ નિત્યાનંદ પ્રભુ છે. સચ્ચિદાનંદ પ્રભુ ! જિવસ્વરૂપી દ્રવ્ય તો ત્રિકાળ છે. એમાં તમે કહ્યું કે, પ્રગટ્યું આ, ઈ શું પ્રગટ્યું ? પ્રગટ તો છે.
સમાધાન આમ છે કે દ્રવ્યરૂપ તો જોકે વિદ્યમાન જ હતું...” વસ્તુરૂપે તો ભગવાન વીતરાગ અને પરમાનંદ સ્વભાવરૂપ હતી, ચીજ તો હતી જ. છે ? “તોપણ પ્રગટરૂપ, બંધને દૂર કરતાં થયું.” આ..હા...! શક્તિરૂપે સ્વભાવરૂપે તો પ્રગટ દ્રવ્ય શુદ્ધ ચૈતન્યઘન છે પણ તેનો અનુભવ કરતાં એમ કહે છે. છે ને ? ‘તોપણ પ્રગટરૂપ, બંધને દૂર કરતાં....” રાગાદિના