________________
કળશ-૧૯૯
જેણે,...’ આહા..હા...! ‘તિમિર્’નો અર્થ આવરણ કર્યો. ભાવઆવરણ છે ને ? આ અશુદ્ધતાનું પરિણમન (છે) એ ભાવઆવરણ છે. જ્ઞાનજ્યોતિએ અંદરમાં એકાગ્ર થઈને તેનો નાશ કર્યો છે. આહા..હા...! જ્ઞાનજ્યોતિ ચૈતન્ય ઝળહળ જ્યોતિ પ્રભુ બિરાજે છે એને પર્યાયમાં ઝળહળ જ્યોતિ પ્રગટ કરી અને અશુદ્ધતાના આવરણનો તેણે નાશ કર્યો છે. આહા..હા...!
વળી કેવી છે ?” જ્ઞાનજ્યોતિ ! જ્ઞાનજ્યોત ! આહા..હા...! જેમ અગ્નિની જ્વાળા ઉધઈ આદિને બાળીને રાખ કરે... આહા..હા...! એમ ચૈતન્યજ્યોતિ અજ્ઞાન અને રાગ-દ્વેષનો નાશ કરે એવી એનામાં તાકાત છે. આ..હા..હા...! સમજાણું કાંઈ ? જ્ઞાનજ્યોતિ કીધી છે ને ? “સ્વયં જ્યોતિ સુખધામ’ ‘શ્રીમમાં આવે છે ને ? સ્વયં જ્યોતિ ! એનો કોઈ ઈશ્વરફીશ્વ૨ કર્તા નથી. આહા..હા...! એ તો સ્વયં જ્યોતિ ચૈતન્ય છે. એવી સ્વયં જ્યોતિ ચૈતન્ય કેવી છે ?
૩૯૩
‘સર્વ ઉપદ્રવોથી રહિત છે.’ ‘સાધુ' ‘સાધુ' એમ શબ્દ વાપર્યો છે. ‘સાધુ’નો અર્થ ભલો થાય છે, ભલો ! કેવી છે જ્ઞાનજ્યોતિ ? ભલી છે. એટલે ? પ્રતિકૂળ ઉપદ્રવથી રહિત છે. આહા..હા...! જ્યાં ચૈતન્યજ્યોતિ પ્રગટ થઈ, કેવળજ્ઞાન અને આનંદ... આહા..હા...! શક્તિરૂપે હતું એ વ્યક્તરૂપે થયું એ જ્યોતિ ઉપદ્રવથી રહિત જ્યોતિ છે. એને હવે કોઈ ઉપદ્રવ રહ્યો નથી. આહા..હા...!
‘સર્વ ઉપદ્રવોથી રહિત છે.' આ..હા..હા...! એવી જ્ઞાનજ્યોતિ પ્રભુ ! જેમ લીંડીપી૫૨ ચોસઠ પહોરી તીખાશ ભરી છે તો પ્રગટ થાય છે. હવે ચોસઠ પહોરી પ્રગટ થઈ એની હવે ત્રેસઠ પહોચી થાય એવું છે નહિ. આહા..હા...! લીંડીપીપર આ છોટીપીપર ! ચોસઠ પહોરી એટલે રૂપિયે રૂપિયો – સોળ આના ચોસઠ પૈસા. અંદર તીખાશ ભરી છે. હિન્દી ભાષામાં એને ચ૨૫૨ાઈ કહે છે. પૂર્ણ ચર૫ાઈ પડી છે એ ઘસીને બહાર આવે એ ચોસઠ પહોરી હવે ત્રેસઠ પહોરી ન થાય. આહા..હા...! એમ ભગવાનઆત્મા ચોસઠ એટલે રૂપિયે રૂપિયો જે જ્ઞાન, આનંદથી પરિપૂર્ણ અંદર ભર્યો છે એના શુદ્ધ પરિણમનથી અશુદ્ધતા ગઈ અને શુદ્ધ પરિણમન થયું એને હવે કોઈ ઉપદ્રવ છે નહિ. આહા..હા...! આવી વાતું ઝીણી પડે, શું થાય ? માર્ગ બાપુ ! આવો છે. આકો લાગે, પ્રભુ ! વસ્તુ તો આવી છે. આવું કરે છૂટકો છે, બાપુ ! આહા..હા...! બહારમાં ફાંફાં મારીને મરી જશે તો હાથ નહિ આવે. ...હા...! આ વ્રત કર્યાં ને તપસ્યાઓ કરી ને અપવાસ કર્યાં ને પૂજાઓ કરી ને લાખોકરોડો રૂપિયા દાનમાં ખર્ચા માટે કાંઈક ધર્મ થશે (એમ નથી). બાપુ ! ધર્મ તો જુદી ચીજ છે. આ..હા..હા...! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે તો વીતરાગભાવમાં ધર્મ બતાવ્યો છે. આ..હા..હા...! પોતે વીતરાગ થયા, વીતરાગ જિન સ્વરૂપ હતું (એમાંથી થયા). શું કહ્યું ઈ ? આત્માનું વીતરાગ જિન સ્વરૂપ હતું એ પર્યાયમાં જિન સ્વરૂપ વીતરાગ થયા એણે ઉપદેશમાં વીતરાગભાવ પ્રગટ કરીને વીતરાગતા કરવી એનો ઉપદેશ આપ્યો. એટલે પ્રથમ સમ્યગ્દર્શન
—