________________
૩૯૨
કિલશામૃત ભાગ-૫
અંતર જિન વસે આ “બનારસીદાસનું (બનાવેલું પદ છે). આ ઘટમાં જિન વસે છે, પ્રભુ ઈ જિનસ્વરૂપી છે. એ જિનસ્વરૂપ છે તો પ્રગટ થઈને પર્યાયમાં જિનસ્વરૂપ આવે છે. આ..હા..હા..!
મુમુક્ષુ :- ઘટ ઘટમાં વસે છે !
ઉત્તર :- ઘટ ઘટ અંતર, આ બધા દેહના ઘટમાં અંદર જિનસ્વરૂપ પરમાત્મા બિરાજે છે. એ આત્મા પરમાત્વસ્વરૂપ છે. અરે..! એને કેમ બેસે ? ભાઈ ! બે બીડી પીવે તો પાયખાને જંગલ ઉતરે ! આવા તો અપલખણ ! એને એમ કહેવું. આહા..હા...! ભગવાન ! તું જિનસ્વરૂપી છો, નાથ ! અરેરે..! જો જિનસ્વરૂપ ન હોય તો પર્યાયમાં જિનવીતરાગતા આવશે ક્યાંથી ? ક્યાંય બહારથી આવે એવું છે ? આ.હા.હા...!
ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન” જેનપણું ક્યાં રહે છે ? (એમ) કહે છે. કોઈ શરીરની ક્રિયામાં, કોઈ વ્રતના પરિણામમાં જૈનપણું નથી. આહા..હા..! એ જિનસ્વરૂપને રાગથી ભિન્ન પડીને અનુભવે એને જૈન કહેવામાં આવે છે. આહા...હા..! પછી ભલે એ હરિજન હો પણ જેણે રાગથી ભિન્ન પડીને ચૈતન્યને અનુભવ્યો તે જૈન છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આવો ઉપદેશ ! આ શું છે ? આવો માર્ગ છે, બાપુ !
બે વાત કરી. “એવું આવરણ શુદ્ધ પરિણામથી મટે છે, વસ્તસ્વરૂપે પ્રગટ થાય છે. આવું શુદ્ધ સ્વરૂપ જીવને ઉપાદેય છે. જોયું ? આ..હા..હા..! પૂર્ણાનંદનો નાથ ભગવાન છે તે આત્માને આદરણીય છે. જ્ઞાનીને પણ વ્યવહાર વચમાં આવે ખરો પણ તે ઉપાદેય નથી, હેય છે. આહાહા...! સમ્યક્દષ્ટિને – જ્ઞાનીને, અરે..! મુનિને પણ પંચ મહાવ્રતના વિકલ્પ આવે પણ તે હેય છે. એ ઉપાદેય નથી, આદરણીય નથી. આહા..હા..!
ઉપાદેય અંદર ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એને ઉપાદેય કરતાં પર્યાયમાં શુદ્ધ પરિણતિ પ્રગટે તે ઉપાદેય છે. આહા..હા...! આવો માર્ગ ! માણસને એકાંત લાગે. એકાંત છે... એકાંત છે. એમ કહે છે કે નહિ? “સોનગઢમાં એકાંત છે. પ્રભુ ! સાંભળ, ભાઈ !
મુમુક્ષુ - વ્યવહારથી નિશ્ચય થાય એમ આપ કહેતા નથી.
ઉત્તર :- પણ વ્યવહારથી નિશ્ચય થાય નહિ તો ક્યાંથી કહે ? વ્યવહાર છે, નિશ્ચય છે. સ્વભાવને આશ્રયે થાય અને વ્યવહારથી ન થાય એનું નામ અનેકાન્ત છે. નિશ્ચયથી પણ થાય અને વ્યવહારથી પણ થાય એ એકાંત છે. આહાહા..! આવી વાતું છે. સમજાણું કાંઈ ?
‘આવું શુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે.” આ...હા...હા...! ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ તે ઉપાદેય છે અને પુણ્ય-પાપના વિકાર વિનાની શુદ્ધ સ્વરૂપની સમ્યગ્દર્શન, જ્ઞાનની નિર્મળ પરિણતિ થાય, એ પણ પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે. આહા...હા...! આવી વાતું ! આહાહા....
કેવી છે જ્ઞાનજ્યોતિ ?” “ક્ષપિતિમિર’ ‘વિનાશ કર્યા છે જ્ઞાનાવરણ-દર્શનાવરણકર્મ