________________
કળશ-૧૫૪
જીવને નિર્ભય સ્વભાવ છે.
તેથી સહજ જ અનેક પ્રકારના પરિષહ-ઉપસર્ગનો ભય નથી.’ એને બાહ્યની પ્રતિકૂળતાના ગંજ આવે... આ..હા..હા...! કે અનુકૂળતાના બધા ડુંગરા હોય, એના તરફ તેનું લક્ષ જ નથી. એને પરિષહ અને ઉપસર્ગથી સ્વરૂપ ચૈતન્યઘન છે એમાં એને ભય થવાનો પ્રસંગ જ છે નહિ. આ..હા...! આ..હા...!
મુમુક્ષુ :- દ્રવ્યમાં ભય નથી પણ પર્યાયમાં તો ભય છે.
ઉત્તર :- પર્યાયમાં ભય છે નહિ, એને તો છે જ નહિ. વસ્તુમાં (તો) નથી પણ જેની દૃષ્ટિ સમ્યક્ થઈ તેના પર્યાયમાં પણ ભય નથી. ઈં અહીં કહેવું છે. એને ભય હોય છે, એ ચારિત્રનો હોય છે.
મુમુક્ષુ :
ઉત્તર :- ઈ અસ્થિરતા છે), ઈ પ્રશ્ન અહીં નથી. અસ્થિરતાનો જરી ભય હોય એને તો એ જાણે છે.
૨૭
મુમુક્ષુ :– આચાર્યો પણ કહે છે કે ભવભયથી ડરીને અમે આમ કરીએ છીએ. ઉત્તર :- ઈ વાતું...
મુમુક્ષુ :
સમ્યક્દષ્ટિને ભય ન હોય.
ઉત્તર :– ભય જ નથી. ભયપ્રકૃતિના નિમિત્તમાં જોડાતા જે થોડો (ભય) થાય એ થાય, તે એને તેના સ્વરૂપમાં ખતવતો નથી. આહા..હા...! ઝીણી વાત છે ને, ભાઈ ! અહીંયાં ચૈતન્યસ્વરૂપ જે છે, અનંત ચૈતન્યરત્નાકર સાગર ભગવાન ! એ તો શાશ્વત છે અને એની જ્યાં દૃષ્ટિ થઈ એટલે એમાં છે નહિ વસ્તુમાં નથી (તો) અહીં ક્યાં છે ? વસ્તુ પોતે શાશ્વત છે એનું ભાન કર્યું, હવે ભય કોનો ? સમજાણું કાંઈ ? ભય છે જ નહિ. ઈ અસ્થિરતાનો પ્રકા૨ (હોય એની વાત નથી).
સમ્યષ્ટિ પહેલા નીકળી જાય છે પછી બીજા પછી નીકળે છે એવું બધું
મુમુક્ષુ :પણ આવે છે.
—
ઉત્તર :- ઈ બધી વ્યવહારથી વાતું (કરી છે). જ્યારે જ્ઞાનપ્રધાન કથન ચાલતું હોય ત્યારે તેની અસ્થિરતામાં ભય છે તેમ જ્ઞાન જાણે કે, મારામાં છે. એટલે પર્યાયમાં છે, વસ્તુમાં નથી અને અહીં તો વસ્તુની દૃષ્ટિની મુખ્યતાથી કથન છે. તેથી એને ભય છે જ નહિ. પર્યાયમાં જરી ભય થાય ઈ વસ્તુની દૃષ્ટિના વિષયમાં ભય છે નહિ.
મુમુક્ષુ :- વસ્તુમાં ભય નથી પણ વર્તમાનમાં ભય છે.
ઉત્તર :– ભય છે જ નહિ. નિર્ભય, નિડર છે ! આવી વાત છે. મુમુક્ષુ :સર્પ કરડે તો ઉતરાવા જાય છે.
ઉત્તર :- ઈ ઉતરાવા જાય એ એનો વિકલ્પ છે, સ્વરૂપમાં એ વિકલ્પ નથી. એમ જાણીને એને વિકલ્પ છે જ નહિ (એમ કહ્યું છે). અત્યારે તો એ (અપેક્ષાએ વાત ચાલે