________________
૨૬
કિલશામૃત ભાગ-૫
જ્ઞાન કરે છે. અજ્ઞાની પોતામાંથી ખસી જઈ, પોતાનું અજ્ઞાન કરી અને રાગમાં છેદાય જાય છે. ભાઈ ! આવી વાતું છે. આહા...હા...!
પ્રશ્ન :- બે ભાઈ બાઝયા શું કરવા ?
ઉત્તર :- બાહુબલીજી’ અને ‘ભરત” ઈ જરીએ બાધ્યા નહોતા. રાગ થયો અને ક્રિયા થઈ એને જાણતા હતા. આકરી વાતું છે ! “ભરત” અને “બાહુબળ સમ્યક્દૃષ્ટિ હતા. ઈ રાગની અસ્થિરતાને લઈને થયું તો એને તો એ જાણે છે. તે પણ પોતાના જ્ઞાનના ભાવમાં રહીને રાગ અને દેહની ક્રિયાને અડ્યા વિના તેનું જ્ઞાન કરે છે. આહા...હા...! આવો સમ્યફદૃષ્ટિનો સ્વભાવ છે. વિશેષ કહેશે) (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
કારતક વદ ૫, બુધવાર તા. ૩૦-૧૧-૧૯૭૭.
કળશ-૧પ૪, ૧૫૫ પ્રવચન–૧૬૩
કળશ-ટીકા' છેલ્લી બે લીટી છે. ૧૫૪ (કળશ) ને ? નિર્જરાનો અધિકાર છે. “સમ્યફદૃષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે. સમ્યફદૃષ્ટિ કોને કહીએ ? કે, જેને આ ચિલોક આનંદસ્વરૂપ વિદ્યમાન ત્રિકાળી ચીજ (છે) તેની અનુભવમાં દૃષ્ટિ થઈ છે. વિદ્યમાન ત્રિકાળ શાશ્વત વસ્તુ
છે (ઈ) પછી કહેશે. જ્ઞાન શાશ્વત વસ્તુ છે. જ્ઞાન એનો સ્વભાવ છે અને વસ્તુ સ્વભાવવાના (છે). એ વિદ્યમાન ટકતું ત્રિકાળી તત્ત્વ છે. એની સન્મુખ થઈને – અંતર્મુખ થઈને જે તેની શ્રદ્ધા અને જ્ઞાન કરે એને અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે તેથી તેના ભાનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ પણ આવે. આહા...હા..! એને ધર્મી અને સમ્યક્દૃષ્ટિ કહીએ. આહાહા! ધર્મની પહેલી શરૂઆતવાળો (કહીએ).
સમ્યગ્દર્શન થાય કઈ રીતે ? કે, પર તરફનો રાગ આદિનો જે ઝુકાવ છે એનું લક્ષ છોડી દઈને ત્રિકાળી વિદ્યમાન પદાર્થ છે તેનું રાગથી ભેદજ્ઞાન કરે. એ પ્રથમ કર્તવ્ય છે.
મુમુક્ષુ :- શાસ્ત્ર વાંચવું એ કર્તવ્ય ન રહ્યું.
ઉત્તર :- ઈ બધી વાતું, વ્યવહાર (છે). કર્તવ્ય તો આ છે. શાસ્ત્રનું જ્ઞાન (કરવું) એ પણ જેનામાં કર્તવ્ય નથી. શાસ્ત્ર તો ક્યાંય રહી ગયા, એનું જે જ્ઞાન થાય એનાથી પણ ભેદજ્ઞાન કરવાનું છે.
અહીંયાં તો શાશ્વત ચીજ છે એને પકડવાની વાત છે કે નહિ ? નિત્યાનંદ પ્રભુ ! સ્વરૂપ અનંત ગુણરૂપ અસ્તિત્વ જેનું છે), વિદ્યમાનપણું – હયાતીપણું છે) તેની સન્મુખમાં જેને સમ્યગ્દર્શન અને જ્ઞાન થાય તેને અહીંયાં સમ્યફદૃષ્ટિ કહે છે. આહાહા...! એ સમ્યફદૃષ્ટિ