________________
કળશ-૧૭૭
૩૪૭ છે પણ એમાં તમારો ભાવ હોય, રાગની મંદતા હોય તો પુણ્ય છે. એ ધર્મ છે અને ધર્મનું કારણ છે એમ નથી. હમણાં આવ્યા હતા ને ? એ લોકોની કડી ભાષા (એટલે ગુજરાતી) બરાબર સમજે નહિ. વ્યાખ્યાનમાં આવી શકે નહિ. હિન્દી અહીં માંડ ચાલે (થોડું), પણ એનો ભાવ જાળવવો જરીક.. બહુ થોડા માણસ આવે, કન્નડી ભાષા (એની એટલે) સમજે નહિ. પછી થોડાક આવતા. બે પંડિતો હતા ઈ સાંભળી અને થોડું એની કન્નડી (ભાષામાં) કહે. ત્યારે માંડ સમજે. ગુજરાતી તો સમજે નહિ પણ હિન્દી પણ સમજે નહિ. લોકો પ્રેમી ઘણાં, ભાષા સમજે નહિ એટલે શું કરે બિચારા ? અહીં તો એક જણાએ આઠ લાખ નાખ્યા. શ્વેતાંબર મારવાડી છે. આપણું દિગંબર મંદિર બનાવ્યું. કીધું, બાપુ ! જુઓ ભાઈ ! તમે એમ માનો કે અમે બનાવ્યું માટે અમારો ધર્મનો ભાવ છે, એમ નથી. એ પાપથી બચવા એવો ભાવ હો, પણ એ ધર્મ છે એમ નથી. આહા..હા...! અહીં તો ચોખ્ખી વાત છે.
આ તો વીતરાગમાર્ગ છે. વીતરાગમાર્ગમાં રાગથી ધર્મ થાય તો એ વીતરાગમાર્ગ જ નહિ. આહાહા..! સમજાણું કાંઈ ? રાગ આવે ખરો, ધર્મીને પણ આત્મજ્ઞાન અને આત્મ અનુભવ હોવા છતાં પૂર્ણ વીતરાગદશા ન હોય તેથી અશુભથી બચવા ભક્તિ, પૂજા(નો) રાગ હોય પણ એને હેય માને. એ હેય (એટલે કે, છોડવાલાયક છે. પણ વર્તમાન મારો પુરુષાર્થ નબળો છે માટે થાય છે. આહા...હા....! સમજાણું કાંઈ ?
આમ તો આઠ લાખ (ખ), એક જણે આઠ લાખ ખર્ચા) ! માણસને એવું થઈ જાય ને કે, ઓ.હો..હો..! અને જોગ એવો બન્યો કે, આઠ લાખ ખર્મા અને એની પાસે બે કરોડ રૂપિયાનું સ્ટીલ હતું અને મારી પાસે રહી ગયા. આઠ દિવસ અમે ગયા પહેલાં શિક્ષણ શિબિર (કરી હતી) અને અમે ગયા પછી સોળ દિવસ અમારામાં રોકાવું પડ્યું. એટલે ત્યાં ભાવ વધી ગયો તો ચાલીસ લાખ વધી ગયા. આઠ લાખ ખર્ચા ને ચાલીસ લાખ વધ્યા. એટલે લોકો કહે કે, જુઓ ! આ...હા...હા...! પછી લોકો આવી વાતું કરે કે, મહારાજની લાકડીમાં કાંઈક ચમત્કાર છે ! ધૂળેય નથી. આ તો લાકડી હાથમાં રહે. પરસેવો હોય અને શાસ્ત્રને (હાથ) અડે નહિ એટલે (રાખીએ છીએ). એ તો પુણ્યના કારણે એવો બધો જોગ થઈ જાય. એ પુણ્ય પણ હેય છે. આહાહા...!
મુમુક્ષુ :- એ તો પૂર્વનું પુણ્ય છે.
ઉત્તર – એ તો પૂર્વનું પુણ્ય છે પણ વર્તમાન પણ (આ) સાંભળતા, બે-પાંચ-દસ દિવસ), મહિનો-બે મહિના સાંભળે તોપણ એ શુભભાવથી એને પુણ્ય બંધાઈ જાય. અને પુણ્ય પણ ઉદય આવી જાય, આ ભવમાં પણ ઉદય આવી જાય. એથી કરીને ધર્મથી એ થયું છે એમ નહિ. આહાહા...!
અહીં કહે છે, છે? રાગભાવ જે દયા, દાન આદિ એનો વિસ્તાર છે. રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો જીવદ્રવ્યનું સ્વરૂપ” “સાત્મનઃ' એ મારું સ્વરૂપ છે, એ મારું કર્તવ્ય છે