SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ કિલશામૃત ભાગ-૫ એમ અજ્ઞાની “અનુભવે છે, કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવતો નથી. જોયું ? આહા..હા..! આવે ખરો, પણ એ ઉપાધિ છે. કર્મના નિમિત્તના આશ્રયે થયેલી ઉપાધિ છે. ચાહે તો એ દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ પણ કર્મના નિમિત્તની ઉપાધિ છે. એ આત્માની સમાધિ (નથી), આત્માનો સ્વભાવ નથી. આહા...હા...! સમજાણું કાંઈ? લોગ્ગસમાં નથી આવતું ? “સમાહિવર મુક્ત દિg' લોગસ.... લોગસ ! “સમાણિવર મુત્ત જિંતુ પ્રભુ ! મને તો સમાધિ – રાગરહિત શાંતિ જોઈએ છે. એમ માગે છે. એના અર્થની પણ ખબર ન મળે. હાંકે જાય, લગ્નસા ઉજ્જોયગરે... સિદ્ધાસિદ્ધિ મમ દિસંg... જાઓ ! પણ શું એનો અર્થ છે ? આહાહા..! અહીં આચાર્ય મહારાજ એમ કહે છે કે, એ જીવનું સ્વરૂપ નથી તેને પોતાનું માનીને અનુભવે છે, પણ “ઉપાધિ છે એમ અનુભવતો નથી. આહાહા....! ધર્મીને પણ એ રાગ આવે પણ ઉપાધિ છે એમ અનુભવે છે. શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્ર સાંભળવા, કહેવા એ બધો વિકલ્પ શુભરાગ છે. આવે ખરી ઉપાધિ પણ એને મારા તરીકે માનવું એ આખી દૃષ્ટિ વિપરીત છે. આહાહા....! મુમુક્ષુ :- આત્માનું રટણ તો કરવું પડે. ઉત્તર :- આત્માનું રટણ શું કરવું ? આત્મા... આત્મા... આત્મા. આત્મા. આત્મા કરે એ તો વિકલ્પ છે, રાગ છે. આત્માનું રટણ તો જ્ઞાનાનંદ સ્વરૂપ એકાગ્રતા (કરવી) એ આત્માનું રટણ છે. ભગવાન જ્ઞાનની મૂર્તિ ! પ્રકાશ – ચૈતન્ય નૂર ! અંદર ચૈતન્યના તેજના પૂર ભર્યા છે. આહા..હા..! એમાં એકાગ્ર થાવું એ આત્માનું રટણ છે. આવી વાતું છે, ભાઈ ! બહુ ફેર છે, ભાઈ ! બધી ખબર છે ને ! ક્યાં શું ચાલે છે ? આ ઘણા વરસનું બધું જાણીએ છીએ. આહાહા..! સ્થાનકવાસી સાધુમાં હું હતો. વૈરાગ્યની વાતું કરે. અમારે પાલેજમાં દુકાન હતી ને ! હું તો સાધુ આવે પછી નિવૃત્તિ લઈને જાતો), દુકાનમાં ભાગીદાર બેસે. પછી બધા રાત્રે સાંભળવા જાય. આખો દિ' તો વેપાર-ધંધામાં રોકાય. પછી રાત્રે આવી વાતું કરે. શું ? કૂતરાના ભવમાં....” એ આવું ગાય પછી અમે સાંભળતા. “કૂતરાના ભવમાં મેં વીણી ખાધા કટકા, મેં ભૂખના વેઠ્યા ભડકાં....' પણ આવી વાતું ! મુમુક્ષુ – ઈ ભડકા મટે ત્યારે નીંદર આવે. ઉત્તર :- ઈ મટે એની ખબર પણ એને નથી. આવી વાતું કરે. દુકાન સાડા સાતે બંધ કરીને જાઈએ ત્યારે (આ સાંભળે). જાણે ઓ.હો..! આજે તો ધર્મ સાંભળ્યો! પેલા પણ એમ કહ્યું કે, ધર્મ કર્યો. ધૂળેય ધર્મ નથી. એ વાત તો કયાંય રહી ગઈ પણ ભગવાન સાક્ષાત્ ત્રણલોકના નાથ સમવસરણમાં બિરાજે. ભગવાન મહાવિદેહમાં બિરાજે છે ત્યાં આ જીવ અનંતવાર ઊપજ્યો. ત્યાં તીર્થકરનો વિરહ કોઈ દિ હોતો નથી. વીસ તીર્થકર મોક્ષ
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy