________________
૩૨૬
કલશામૃત ભાગ-૫ નહિ. ઉદય આવ્યો માટે અહીં પરિણમે એવું કાંઈ છે નહિ. (જો એમ પરિણમવું પડે) તો તો કર્મનો ઉદય સદાય છે એમ કહે છે. ત્યાં લીધું છે. ત્યાં બે વાત લીધી છે.
આત્માનો સ્વભાવ બંધનું કારણ નથી તેમ કર્મનો ઉદય બંધનું કારણ નથી. બંધનું કારણ તો પોતે તે તરફ તેમાં જોડાય જાય તો બંધનું કારણ થાય. સમજાણું કાંઈ ? ન પરિણમે (એવો) ત્યાં પાઠ છે. ઉદય (હોય) છતાં મોહરૂપે ન પરિણમે. અહીં કહે છે કે, ઉદય હોતાં પરિણમે. કઈ અપેક્ષાએ કહે છે ? કે. વિભાવરૂપે પરિણમવાની એની પર્યાયની યોગ્યતા સિદ્ધ કરીને પછી નિમિત્તને સિદ્ધ કરે છે કે, પૂર્વકર્મનો ઉદય હોતાં અહીં વિભાવરૂપે પોતે પોતાથી પરિણમે છે. આહા...હા...! એક ન્યાય ફરે તો આખું (તત્ત્વ) ફરી જાય છે. વસ્તુ એવી છે. આહાહા...!
“અહીં દાંત છે –' છે ? “યથા સાત: જેમ સ્ફટિકમણિ રાતી, પીળી, કાળી ઈત્યાદિ અનેક પ્રભારૂપે પરિણમે છે.” છે ? સ્ફટિકમણિ ! એ પોતે કાળા આદિ પ્રભાપણે) પરિણમે છે. તેનું ઉપાદાનકારણ છે સ્ફટિકમણિમાં અન્તર્ગર્ભિત...' છે ? “નાના વર્ણરૂપ પરિણમનશક્તિ ... આહા...હા..! શું કહે છે ઈ ? કે, સ્ફટિકમણિ છે અને અહીં કાળા, રાતા ફૂલ હોય તો અહીં કાળી, રાતી ઝાંય પડે છે ઈ એની યોગ્યતા છે. એ સ્ફટિકમણિની પર્યાયની યોગ્યતાથી કાળી, રાતી થાય છે. એ કાળાં, રાતાં ફૂલને કારણે નહિ. જો એને કારણે (ઝાંય પડે) તો અહીં નીચે કાળું, રાતું (ફૂલ) મૂકોને ! આની યોગ્યતા નથી. એટલે કાળો, રાતાં ફૂલ છે માટે કાળી, રાતી (ઝાંય) પરિણમે છે એમ નહિ. એ કાળી, રાતી પરિણમવાની એની પર્યાયની પોતાની યોગ્યતા છે. ભાઈ ! આવું બહુ ઝીણું છે, શું થાય ? મળ વાત આવે ત્યારે તો સ્પષ્ટીકરણ તો થાવું જોઈએ ને ? આહા..હા....!
એ આવે છે. જેમ નિર્મળતા રે સ્ફટિક તણી જેમ નિર્મળતા રે સ્ફટિક તણી. તેમ જ જીવ સ્વભાવ રે.. શ્રી જિનવીરે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ છે. જેમ નિર્મળતા રે સ્ફટિક તણી...” જેમ નિર્મળ સ્ફટિક છે) એમ આત્માનો નિર્મળ સ્વભાવ છે. અકષાયપણે પરિણમવું એ એનો ધર્મ છે. આહા..હા..! “શ્રી જિનવીરે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ.” કષાયનો અભાવ (થઈને) અકષાય પરિણામ (થાય) તે ધર્મ છે. કર્મનો ઉદય ઘટ્યો માટે અહીં અકષાય પરિણામ થયા એમ નહિ. તેમ કર્મનો ઉદય આવ્યો માટે કષાય-પરિણામ થયા એમ નહિ. આહાહા...! નિમિત્ત અને ઉપાદાનનો મોટો ગોટો આ છે ને ?
તેનું ઉપાદાનકારણ છે સ્ફટિકમણિમાં અન્તર્ગર્ભિત નાના વર્ણરૂપ પરિણમનશક્તિ.” સમજાણું કાંઈ ? આહા..હા..! લોઢું છે ને ? લોઢું ! પાંચ હાથ લાંબું લોઢું હોય એનું) બે આંગળ અગ્નિમાં હોય તો અહીં સુધી અગ્નિ – ઉષ્ણતા ઠેઠ આવશે. અને અહીં દીવાસળીથી બીડી સળગાવે છે તો દીવાસળી અહીંથી એક છેડેથી) સળગે છતાં આની કોરનો છેડો ઊનો નહિ થાય. એ પોતાની યોગ્યતા (છે). અગ્નિને કારણે પાંચ હાથ લાંબું લોઢું ઊનું