SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૭પ ૩૨૫ કે મોહકર્મનો ઉદય આવ્યો માટે વિભાવપણે પરિણમે જ. આહા...હા...! એવું છે. હવે, આમાં નવરા ક્યાં છે કે, આવીને નિર્ણય કરે ? વખત મળે નહિ. ભાઈ ! આખો દિ લોઢા ને આ તોળ્યા ને આ કર્યા ને દીધા ને લીધા ને... આહા..હા...! દ્રવ્યની – સ્વભાવની સ્વતંત્રતા સિદ્ધ કરી અને એ સ્વભાવ વિકારનું કારણ નથી એમ સિદ્ધ કર્યું અને વિકાર થાય છે તો એ વિકારના પર્યાયની યોગ્યતા સિદ્ધ કરી અને થાય છે ત્યાં કર્મનું નિમિત્ત છે એમ સિદ્ધ કર્યું. પણ ભાષા અહીંયાં એવી આવી, આમાંથી (અજ્ઞાની જીવો) એમ કાઢે છે કે, કર્મનો ઉદય હોતાં.. છે ? છે ને ? “જીવદ્રવ્ય પોતાના વિભાવપરિણામરૂપે પરિણમે છે.” એમ કે, કર્મનો ઉદય થયો એટલે એને અહીં વિભાવરૂપે પરિણમવું થયું. શબ્દ તો એવો છે. પણ અહીં સિદ્ધ એ કરવું છે કે, વિભાવરૂપે ઉપાદાનમાં પરિણમન થાય તો નિમિત્ત કર્મ છે તેથી ત્યાંથી વાત ઉપાડી કે, ઉદય હોતાં વિભાવરૂપે પરિણમનારો પોતાથી પરિણમે છે. એમ શબ્દ લીધો ને ? જુઓને ! “જીવદ્રવ્ય પોતાના વિભાવપરિણામરૂપે એમ શબ્દ લીધો ને ? ભાઈ ! એને કારણે નહિ, એ તો નિમિત્ત છે. આહા...હા...! મુમુક્ષુ :- પોતાના કારણે ઉદયમાં જોડાતાં... પૂજ્ય ગુરુદેવશ્રી :- એનું એ તરફ લક્ષ છે, એને વશ થાય છે. પણ પાઠ તો આવો લીધો ને ? એનો અર્થ આવો કરે. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ આવે છે કે, મોહકર્મનો ઉદય હોતાં વિભાવરૂપે પરિણમે છે. ત્યાં પણ આ જ ભાષા છે. એનું કારણ એટલું કે, એની પર્યાયમાં વિભાવરૂપે પોતે જ ઉપાદાનકારણે પરિણમે છે એ પહેલા સિદ્ધ તો કરી ગયા. એને સિદ્ધ કરીને હવે અહીંયાં કહ્યું કે, મોહકર્મનો ઉદય હોતાં વિભાવરૂપે જે પરિણમે છે તે પરિણમે છે. જે કર્મનો ઉદય હોતાં વિભાવરૂપે પોતે પોતાને કારણે પરિણમે છે એ તો પહેલું સિદ્ધ કર્યું. સિદ્ધ કરીને પછી કહ્યું કે, કર્મનો ઉદય વિભાવરૂપે પરિણમે છે. એટલે વિભાવરૂપે પરિણમનારી પર્યાય તો પોતાથી છે. પોતાના વિભાવપરિણામરૂપે પરિણમે છે – એવો જ વસ્તુનો સ્વભાવ છે...” જોયું? એટલે કે વિભાવપણે પરિણમે ત્યારે કર્મનું નિમિત્ત છે. એવો જ કોઈ વસ્તુનો સ્વભાવ છે. આમાંથી એમ કાઢે છે કે, કર્મનો ઉદય હોતાં વિભાવપણે પરિણમે જ એવો વસ્તુનો સ્વભાવ છે. બધા (આવો) અર્થ કરે છે ને ? સાંભળ્યું છે ને ! સમજાણું કાંઈ? શું કહ્યું? આહા...હા...! એવો જ વસ્તુનો સ્વભાવ છે, સહારો કોનો ?’ એમાં બીજું કારણ શું)? અહીં પોતે વિભાવરૂપે પરિણમે ત્યારે નિમિત્ત હોય છે. તેથી એમ કહ્યું કે, ઉદય હોતાં વિભાવરૂપે પરિણમે છે. એમાં બીજાની મદદની, કોઈ કારણની જરૂર શું છે ? એમ કહે છે. સમજાણું કાંઈ? એ તો “જયસેનાચાર્યદેવની ટીકામાં આવી ગયું છે. મોહ ઉદય છતાં જે પોતે પરિણમે નહિ. જયસેનાચાર્યદેવની ટીકામાં છે. ઉદય હોતા છતાં આ પરિણમે નહિ તો ઉદયનું કાંઈ છે
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy