SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૭૨ ૨૫૩ હું તો જ્ઞાન અને આનંદનો ધરનાર એ મારું સ્વરૂપ છું. આ પુણ્ય ને પાપના વિકલ્પો અને એના ફળો એ મારું સ્વરૂપ નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ? “કોના સંબંધે વળગણા છે ?” આ શું છે આ વળગણા બધી ? આહા..હા...! મારું મારું કરીને વાળા કેટલા ? પગમાં એક વાળો નીકળે તો રાડ નાખે. આને તો બાયડીવાળો, પૈસાવાળો, આબરૂવાળો, મકાનવાળો, ધૂળવાળો.. કેટલા વાળા તને વળગ્યા? આ.હા.! વાળો નથી થતો)? પેલો વાળો ! પગમાં જીવાત થાય છે. પગમાં જીવાત થાય છે ને ? પાણી હલકું હોય એમાંથી પગમાં વાળા થાય. તેની બહુ પીડા હોય. આ એક વાળે રાડ નાખે, આ તો કેટલાય વાળે રાડ નાખતો નથી, માળો ! પ્રભુ અહીંયાં એમ કહે છે, વિશ્વથી વિભક્ત છો. એ બધી ચીજથી તું જુદો છો. સુખી છું, દુઃખી છું, ક્રોધી છું, માની છું – એવા ભાવથી તારી ચીજ અંદર ભિન્ન છે. આહા..હા...! ‘વિશ્વાત્ વિમવત્ત: પિ' વિશ્વથી તદ્દન જુદો. વિશ્વમાં બધું આવી ગયું. રાગ – દયા, દાનના પરિણામથી માંડીને એ બધું વિશ્વ – રાગ છે, પર વસ્તુ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાનો ભાવ, હિંસા, જૂઠનો ભાવ એ બધી પરવસ્તુ છે, (એ) આત્માનો ભાવ નથી – સ્વભાવ નથી. આહાહા....! સમજાણું કાંઈ ? વિશ્વથી ભિન્ન હોવા છતાં તેની સાથે એકપણું માને ભગવાન તો જોકે કર્મના ઉદયથી થયેલા સમસ્ત પર્યાયોથી ભિન્ન છે.” આહા...હા....! ‘ભાવાર્થ આમ છે કે મિથ્યાષ્ટિ જીવ....” જૂઠી દૃષ્ટિ, જૂઠી પાખંડ દૃષ્ટિ (જેની છે) એ “જીવ પર્યાયમાં રત છે.” એ તો શરીર તે હું, વાણી તે હું, આ હું. આ હું. આ હું... આહા...હા...! સૂક્ષ્મ રીતે લઈએ તો તો એની એક સમયની જે વર્તમાનમાં પર્યાય છે ને ? પર્યાય એટલે અવસ્થા. આ તો ઠીક, આ શરીર, મન, વાણી આદિ તો પર છે, પણ એક સમયની પર્યાય છે... ઝીણી વાત છે, પ્રભુ ! ત્રિકાળી આત્મા ભગવાન, એની વર્તમાન દશા જે વર્તમાન વિચારની અવસ્થા ચાલે છે એ એક સમયની અવસ્થા (છે), એ અવસ્થા ઉપર જેની દૃષ્ટિ છે તેને મિથ્યાષ્ટિ કહે છે. આહા..હા...! વસ્તુ અંદર આખી પડી રહી. આનંદનો નાથ ભગવાન ! આ..હા...! સહજાત્મસ્વરૂપ ચિદાનંદ પ્રભુ ! નિત્યાનંદ ધ્રુવ ! એ પડ્યો રહ્યો અને એક સમયની વર્તમાન અવસ્થાને પોતે આત્મા માન્યો. આહા...હા...! આવી વાત છે. અને આ જગતની સુખી-દુઃખી કલ્પનાને પોતાની માની. આહાહા....! મિથ્યાદૃષ્ટિ જીવ પર્યાયમાં રત છે, તેથી પયયને પોતારૂપ અનુભવે છે.” આ.હા...હા...! એ રાગને, પુણ્યને, પાપને અને એના ફળને પોતાપણે જાણે છે અને અનુભવે છે (એમ) કહે છે. આહા...હા...! એ બધામાં પોતાપણું) માનવાનું કારણ તો એનો મિથ્યાત્વ ભાવ છે. આહાહા...! એ કર્મને કારણે માને છે એમ નહિ એમ કહે છે. ભાઈ ! અમે શું કરીએ ? એવા આકરા કર્મ પડ્યા (કે) એને લઈને અમને આ બધું થાય છે). એ જૂઠી વાત છે,
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy