SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૬૯ ૨૨૩ એને સગવડતા મળી એ તદ્દન મિથ્યાત્વ છે). આપે કોણ ? એના પુણ્યના યોગે એને ઈ ચીજ મળે છે. એને ઠેકાણે આ કહે કે, મેં એને સગવડતા આપી. આહા..હા...! બધું આકરું કામ છે. ‘જ્ઞાનમ્ ધિસ્થ એ કેમ માને છે ? કે, અજ્ઞાન એટલે મિથ્યાશ્રદ્ધાને પામીને. ઊંધી શ્રદ્ધાના પરિણામને પામીને એમ માને છે એમ કહે છે. પાછો એનો અર્થ એ કાઢે કે), એને દર્શનમોહનો ઉદય છે માટે આવા પરિણામ થાય છે, એમ નથી. સમજાણું કાંઈ ? હમણાં પેલાએ લખ્યું છે ને ? કે, અમારા સમકિતને અને સુખને આવરણ છે, કર્મનું આવરણ છે. અમને કેમ સમકિત અને સુખ નથી ? કર્મના આવરણના કારણે આવી સ્થિતિ) છે. એમ છાપામાં આવ્યું છે. અહીં ના પાડે છે. મિથ્યાત્વ અશુદ્ધ પરિણામ તું કરે છો માટે ત્યાં સમકિત થતું નથી. સમજાણું કાંઈ ? અને અંતર આનંદના સુખને કેમ પામતો નથી ? કે, દુઃખના અશુદ્ધ પરિણામને તું કરે છે તેથી તને આનંદની પ્રાપ્તિ થતી નથી. આહા..હા....! પ્રશ્ન :- કર્મશાસ્ત્ર કયાં ગયા ? સમાધાન :- કર્મમાં કર્મ છે ને ! આ ઈ જ કહે છે. એના કર્મના કારણે એને સગવડતા મળે છે અને તું કહે કે, હું સગવડતા દઈ શકું, એ વાત જૂઠી છે. આહા...હા...! કર્મશાસ્ત્ર શું ? એ તો કર્મને સિદ્ધ કરે છે. ઈ વાત તો પહેલાં આવી ગઈ. એના કર્મ જે છે એના કારણે એને શાતાનો ઉદય હોય તો એને સગવડતા આવે. અશાતાનો ઉદય હોય તો અગવડતા આવે. આયુષ્ય પૂર્ણ થવાનું હોય તો ત્યાં મરણ થાય. આયુષ્ય ટકવાનું હોય તો તે જીવી શકે. ઈ તો કર્મને લઈને છે. એટલે નિમિત્તથી - પરથી એ કાર્ય થતા) નથી એટલું સિદ્ધ કરવા કર્મથી થાય) છે એમ સિદ્ધ કરવા માટે કહે છે. પણ અહીં તો એ પણ ના પાડે છે. કર્મને લઈને અહીંયાં મિથ્યાત્વ ભાવ છે (એમ નથી). આહા...હા...! શું કરે ? કર્મને લઈને અમારી મતિ ફરી જાય છે. કર્મ બિચારે કોણ” ઈ કયાં માને છે ? જોરાવરી કર્મ (છે). અંદર ભોંમાંથી ભાલા ઊગે છે), બાપા ! ધાર્યા (કામ) ન થાય અને કર્મ આવીને હેરાન કરે. મુમુક્ષુ :- કમ્મો બળિયો. ઉત્તર :- કમ્મો બળિયો (શું) એ તો વિકારબળિયો છે આહા...હા...! અહીં તો એમ કહે છે કે, પદ્રવ્યને કાંઈ પણ કરી શકે. આહા..હા..! એક રોટલાનું બટકું ઉપાડીને આમ આપી શકે એ ક્રિયા આત્માની નથી. આહા..હા..! એ વિપરીત) કેમ માને છે ? ‘મિથ્યાત્વરૂપ અશુદ્ધ પરિણામને - આવા અશુદ્ધપણાને પામીને;” એમ ભાષા છે, જોયું ? “ તત્ જ્ઞાનમ્ ધિસ્થ આહા.હા...! કર્મને કારણે એ મિથ્યાત્વ પરિણામ થાય છે એમ નહિ. એ પોતે મિથ્યા અશુદ્ધ પરિણામને પામીને આવું
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy