SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૬૮ કહીએ. ક્યાંક આવ્યું હતું, વાંચવામાં ક્યાંક આવ્યું હતું. ઘણું વાંચન હોય એમાં ક્યાંક આવી જાય. આહા..હા....! ૨૧૭ અહીં એમ કહે છે, “એમ નિઃસંદેહ જાણજો, સંશય કાંઈ નથી. શા માટે જાણવું કે મિથ્યાદૃષ્ટિ છે ? કારણ કે...' ‘માનીવિતવું: હૌમ્ સર્વ સહાય વ નિયત સ્વળીયોદ્યાત્ મતિ” આહા..હા...! આ ભગવાનની વાણી છે. છે ને ? પ્રાણઘાત મરણની વ્યાખ્યા કરી. પ્રાણરક્ષા, ઇષ્ટ-અનિષ્ટ સંયોગ – આ જે સર્વ જીવરાશિને હોય છે...’ આ જે સર્વ જીવરાશિ લીધી. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય બધાને... આહા..હા...! જે કંઈ એને અનુકૂળ-પ્રતિકૂળ સંયોગો થાય છે અને પ્રાણની રક્ષા ને પ્રાણનો ઘાત થાય છે તે બધું સર્વ કાળ... આહા..હા...! સર્વ જીવરાશિ અને સર્વ કાળ બે મોટા શબ્દ છે. સર્વ જીવરાશિ (અર્થાત્) દીકરાનો આત્મા, બાયડીનો આત્મા, પોતાનો આત્મા... એ બધા આત્મા (આવી ગયા). બધા જીવરાશિને. આહા..હા...! છે ? — જે સર્વ જીવરાશિને હોય છે તે બધું સર્વ કાળ નિશ્ચયથી...' (એટલે) ખરેખર. આહા..હા...! (સ્વીય ર્માંદ્યાત્ મતિ) ‘જે જીવે પોતાના વિશુદ્ધ અથવા સંક્લેશરૂપ પરિણામ વડે પૂર્વે જ બાંધ્યું છે જે...’ કર્મ. પૂર્વે કોઈ વિશુદ્ધ પરિણામથી પુણ્ય બાંધ્યું, સંક્લેશ પરિણામથી પાપ બાંધ્યું. એના ફળ તરીકે એનું જીવત૨, મરણ ને સુખ-દુઃખ હોય છે. એના કર્મને કારણે હોય છે, બીજાને કા૨ણે હોતું નથી. આહા...હા...! અહીં તો જ્યાં હોય ત્યાં હું કરું... હું કરું. મેં કર્યું ને આ કર્યું ને... તે બધું સર્વ જીવને. બધા જીવરાશિને. આ સંસારીની વાત છે ને ? અહીં સિદ્ધની વાત તો કાંઈ છે નહિ. ‘સર્વ જીવરાશિને...’ આહા..હા...! પાંડવો અહીંયાં ‘પાલીતાણા’(માં) ધ્યાનમાં હતા. ‘શેત્રુંજય’ ! અને દૂર્યોધન'ના ભાણેજે આવીને લોઢાના ધગધગતા (દાગીના) આપ્યા. એ એણે આપ્યા નથી, એ તો પૂર્વના પાપના અશાતાનો ઉદય (હતો) એટલે (એવો) સંયોગ આવ્યો. એણે ભાવ કર્યા ઈ એની પાસે (રહ્યા). પણ એના ભાવને લઈને એણે આ લોઢાના દાગીના પહેરાવ્યા... આ..હા..હા...! એમ નથી. એ તો પૂર્વને અશાતાનો ઉદય બાંધેલો એનો સંયોગ આવ્યો, બસ ! એટલું. આ..હા...! અને તેમાં પણ સમતા રાખવી કે વિષમતા કરવી એ તો પોતાનું સ્વતંત્રપણું છે. રાગ કરવો કે વીતરાગતા રાખવી એ પોતાનું કામ છે. એમાં કોઈનું કાંઈ કામ છે નહિ. આહા..હા...! આમ રાજકુમાર ઊભા (હતા). ‘ભીમ’ મોટો મહા બળવંત ! લોઢાના (દાગીના) પહેરીને એમને એમ ઊભો રહ્યો ! ખબર છે કે આ પહેરાવે છે. પ્રશ્ન :– એવા કાળને સત્યુગ કહેવાય કેમ ? સમાધાન :- એ સત્યુગ તો સત્યુગ જ છે. કોઈ વ્યક્તિને (કાંઈ) થાય એટલે શું ? અને કેવળ(જ્ઞાન) થયું એ સત્યુગ છે. આહા..હા..! અંદર વીતરાગ ભાવમાં ભગવાનઆત્મા જામી ગયો ! આ..હા...હા...! જ્યાં વસ્તુ પડી છે ત્યાં જામી ગયો. એ સત્યુગ છે. કેવળ(જ્ઞાન)
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy