________________
કળશ-૧૬૭
અભિલાષા કરીશ નહિ. આહા..હા....! છે ને એમાં ઈ ? આવડતનું અભિમાન કરવું નહિ અને બહાર પડવામાં જઈશ નહિ, પાછો ભાગજે. આહા..હા...!
૨૦૩
મિથ્યાદૃષ્ટિ જીવ વિચિત્ર સામગ્રીને પોતારૂપ જાણીને અભિલાષા કરે છે તે જીવ શુદ્ધ સ્વરૂપ જીવને જાણતો નથી.’ એટલું થયું ને ? જેને રાગ અને ૫૨ની અભિલાષા છે એણે જાણના૨ જીવને જાણ્યો નથી. જાણનારને જાણ્યો હોય તો આ અભિલાષા હોય નહિ. આહા..હા...! ગજબ વાત છે, બાપુ ! એ માપ બહુ આકરા ! સમજાણું કાંઈ ? એ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણતો નથી. જાણ છે તે કરતો નથી અને કરે છે તે જાણતો નથી. આહા...હા...! તેમ જાણના૨ને ક૨વામાં રોકાઈ ગયો, રોકાણો એ જાણના૨ને જાણતો નથી. ઝીણી વાતું છે, ભાઈ ! આહા..હા...! વીતરાગ પરમેશ્વર સર્વજ્ઞનું કથન... આ..હા..હા..હા...! એના કહેલા દ્રવ્યો, એના કહેલા ગુણો, એણે કહેલી પર્યાય... આ..હા..હા....!
અહીં તો (કહે છે), સમ્યષ્ટિ (નાનાતિ). જ્યારે મિથ્યાદૃષ્ટિ અભિલાષા ‘રોતિ’ આહા..હા...! કેમકે એ અભિલાષા કરે છે (કે), મારી આબરુ વધે એમ માને. છતાં પુણ્ય વિના એ આબરુ વધે નહિ. (તેથી) તેની મિથ્યા અભિલાષા છે. આહા..હા...! આવી વાતું છે, ભાઈ ! આ તો સંસારને મારી નાખવાની વાતું છે. સંસારને હોં ! જાગતા જીવને ઊભો રાખવો હોય તો રાગને મારી નાખવો પડશે. આહા..હા...!
શુદ્ધ સ્વરૂપ જીવને જાણતો નથી. ભાવાર્થ આમ છે કે – મિથ્યાદૃષ્ટિ જીવને જીવના સ્વરૂપનું જાણપણું ઘટતું નથી.’ એટલે કહે છે કે, જેને રાગને કરું અને બહાર પડું, દુનિયા મને કંઈક ગણે એવી જેને અભિલાષા છે... આહા..હા...! છે ? એ શુદ્ધ સ્વરૂપ જીવને જાણતો નથી. મિથ્યાદૃષ્ટિ જીવને જીવના સ્વરૂપનું જાણપણું ઘટતું નથી.' આ..હા..હા...!
‘વસ્તુ’‘આમ વસ્તુનો નિશ્ચય છે.’ આહા..હા...! જેના જ્ઞાનમાં બહારમાં બાહ્ય પદાર્થમાં મને કોઈ ગણે (એમ હોય) એને ૫૨ની અભિલાષા છે. ઈ મિથ્યાદૃષ્ટિ છે. આવું ભારે કામ, ભાઈ ! કહ્યું ને ? એ મિથ્યાદૃષ્ટિ છે. આમ વસ્તુનો નિશ્ચય છે.’ એને જીવના સ્વરૂપનું જાણપણું ઘટતું નથી.' આહા...હા...! જ્ઞાનની ધારામાં જે જાણવું (એવી) ધારા રહી (છે) એ રાગના અને પરના અભિલાષી જીવને તે ધારા ઘટતી નથી. આહા..હા...!
પ્રશ્ન :- ઘટતી નથી એટલે ?
સમાધાન :- એટલે હોતી નથી. જ્ઞાનધારા એને રહેતી નથી. આહા..હા...! કીધું ને ? ઘટતું નથી એટલે હોતું નથી. છે ને ?
જીવના સ્વરૂપનું જાણપણું ઘટતું નથી.' એટલે હોતું નથી. આહા..હા...! આવી વાત સાંભળવી પણ મુશ્કેલ પડે એવી છે. આવો માર્ગ છે. આહા..હા...!
જેને કર્મના ઉદયની સામગ્રીની, રાગ, બાહ્યની અનુકૂળતાની અભિલાષા છે... આહા..હા..! જશ, દુનિયા ગણે એવી જેને અભિલાષા છે એને આત્માનું જાણપણું ઘટતું