SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ કિલશામૃત ભાગ-૫ નથી. એને આત્માનું જ્ઞાન છે નહિ એમ કહે છે. સમજાણું કાંઈ ? આહા...હા..! આકરી વાતું છે, બાપુ ! આહા...હા...! વીતરાગનો પંથ વીતરાગભાવે જ્યાં જાણે છે એને પરની અભિલાષા રહી ક્યાં ? છે ક્યાં ? આહા..હા.! અને આમ હું જાણપણાથી કાંઈક બહાર પડું (એવો ભાવ થાય) એ તો નિદાન થઈ ગયું. આહા...હા...! મુમુક્ષુ :- નિદાન એટલે સંસારનો ભાવ. ઉત્તર :- આહા...હા...! એ તો નિદાન શલ્ય થયું. આહા..હા..! તેથી તે મિથ્યાષ્ટિ છે. આહા..હા..! આમ વસ્તુનો નિશ્ચય છે.” જોયું ? શું વસ્તુનો નિશ્ચય (છે) ? કે, જે વસ્તુના સ્વરૂપને જાણે છે તેને રાગની અને પરની અભિલાષા નથી એમ વસ્તુનું સ્વરૂપ છે અને જેને રાગ અને પરની કોઈ કણની પણ) અભિલાષા હોય... આહા...હા...! તો તેને આત્માના સ્વરૂપનું જાણપણું હોતું નથી એવું વસ્તુનું સ્વરૂપ છે. આહા...હા...! એવી વાતું છે. એવી વાત છે, બાપુ ! શું કરીએ ? મુમુક્ષુ :- બીજી વાતો સાંભળી સાંભળીને આખી જિંદગી ગઈ. ઉત્તર :- જિંદગી ગઈ, વાત સાચી છે. મુમુક્ષુ :- ભાવલિંગી મુનિને ખ્યાતિ, લાભ, પૂજા, પ્રશંસાની ભાવના હોતી નથી. ઉત્તર :- બિલકુલ નહિ, અંદરથી કંઈ નથી. અસ્થિરતાનો ભાવ એને એ જાણે છે. એ વાત છે. આ તો જન્મ, જરા, મરણ રહિત થવાના માર્ગ છે. ભવભ્રમણ કરી કરીને ચોરાશીના અવતારમાં મરી ગયો. નિગોદના ભવ... આહા...હા...! એક શ્વાસમાં અઢાર ભવ ! નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ, બાપુ ! એવા અનંતી વાર (ભવ કર્યા. એક શ્વાસમાં અઢાર એવા અનંતી વાર અનંતા કર્યા. અનંતા શ્વાસોશ્વાસમાં એક એકમાં અઢાર ભવ, ભાઈ ! તેં માથું ઊંચું કર્યું નહિ, પ્રભુ ! તારી ચીજ શું છે ? આહા...હા...! અહીં તો ધર્મી એને કહીએ કે, જેને રાગ અને પરની અભિલાષા જ નથી. કેમકે જેનો પુરુષાર્થ સ્વભાવની શુદ્ધતામાં વળી ગયો છે. આહાહા....! સમ્યક્રદૃષ્ટિનો પુરુષાર્થ અંદર શુદ્ધતાના અનુભવમાં વળી ગયો છે. આહા..હા...! એને બહારની – રાગની અને એના ફળની અભિલાષા હોતી નથી. આહા...હા...! કહો, ભાઈ ! આવી વાતું છે. આહા...હા..! એમ કહ્યું ને પાછું ? ‘આમ વતનો નિશ્ચય છે.” જોયું ? બન્નેનો સરવાળો કર્યો. જાણનાર સમ્યક્દષ્ટિ તો એવો છે કે, જાણે... જાણે... જાણે. કેમકે એનો સર્વજ્ઞસ્વભાવ છે અને સર્વજ્ઞ સ્વભાવની પ્રતીતિમાં અનંત ગુણના અંશની પ્રતીતિ અને ગુણનું ભાન આવી ગયું છે. આહા...હા...! સમદ્રષ્ટિ એટલે એ તો બાપુ ! શું ચીજ છે ! અને એ સમ્યગ્દર્શન વિના જેટલા વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા કરે) એ બધાં બાળવ્રત અને બાળપ છે. ઈ ચાર ગતિમાં
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy