________________
૧૮૦
કલશામૃત ભાગ-૫
સત્તુ ચ તત્ વિવિદ્યાપાવન અસ્તુ” આહા..હા..! ભાવલિંગી મુનિરાજ સંત કહે છે. આ ભગવાનની વાણી છે ઈ પોતે મુનિ કહે છે. આહા..હા...! તે કારણથી કાર્મણવર્ગણાથી ભરેલું છે જે સમસ્ત લોકાકાશ તે તો જેવું છે તેવું જ રહો...’ ભલે કાર્યણવર્ગણાથી ભરેલો લોક હોય. આહા..હા...! પણ જ્યાં રાગ અને સ્વભાવની એકતાબુદ્ધિ નથી તેને બંધ છે નહિ. આહા..હા...! થયું ?
અને એવા છે જે આત્મપ્રદેશકરૂપ મન-વચન-કાયરૂપ ત્રણ યોગ તે પણ જેવા છે તેવા જ રહો...' મન, વચન અને કાયાની ક્રિયા હોય એ ભલે હો, પણ એ કાંઈ બંધનું કારણ નથી. આ..હા...! તથાપિ કર્મનો બંધ નથી. શું થતાં ?” છે ? ‘રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો ચાલ્યા જતાં.' અશુદ્ધ પરિણામ એટલે કે એકતાબુદ્ધિના અશુદ્ધ પરિણામ ચાલ્યા જતાં. આહા..હા...!
(તાનિ રાાનિ સન્તુ) તે પાંચ ઇન્દ્રિયો તથા મન પણ જેવાં છે તેવાં જ રહો...' આહા..હા...! પૂર્વોક્ત ચેતન-અચેતનનો ઘાત જેવો થતો હતો તેવો જ રહો,...' આકરું પડે એવું છે ને ? તથાપિ શુદ્ધ પરિણામ થતાં...' આ..હા..હા...! શુદ્ધ પરિણમન થતાં. પેલી રાગની એકતા હતી ત્યાં અશુદ્ધ પરિણમન હતું. રાગની એકતા તૂટતા શુદ્ધ પરિણમન થયું. કર્મનો બંધ નથી.’ એ કારણે એને બંધ છે નહિ. વિશેષ કહેશે...
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
(પૃથ્વી)
तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां
तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः ।
अकामकृतकर्म तन्मतमकारणं ज्ञानिनां
द्वयं न हि विरुद्ध्यते किमु करोति जानाति च । । ४-१६६ । ।
ખંડાન્વય સહિત અર્થ :- તથાપિ જ્ઞાનિનાં નિયંત્રં ચતુમ્ ન ફતે (તથાપિ) જોકે કાર્મણવર્ગણા, મન-વચન-કાયયોગ, પાંચ ઇન્દ્રિયો તથા મન, જીવોનો ઘાત ઇત્યાદિ બાહ્ય સામગ્રી કર્મબંધનું કારણ નથી, કર્મબંધનું કારણ રાગાદિ અશુદ્ધપણું છે, વસ્તુનું સ્વરૂપ એવું જ છે, તોપણ (જ્ઞાનિનાં) શુદ્ધસ્વરૂપના અનુભવશીલ છે જે સમ્યગ્દષ્ટિ જીવ તેમને (નિયંત્ત ચતુિમ્ પ્રમાદી થઈને વિષયભોગ સેવ્યા તો સેવ્યા જ, જીવોનો ઘાત થયો તો થયો જ,