________________
કળશ-૧૬ ૫
૧૭૯
કારણ છે અને તત્ત્વનો વિરાધક છે તે નિગોદનું કારણ છે અને તત્ત્વના આરાધક છે તે મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ ? આહા..હા..! તત્ત્વનો આરાધક છે, રાગરહિત સ્વભાવનો આરાધક છે એ જીવને (એના) ફળમાં એનું મોક્ષસ્થાન છે. વચમાં એને કોઈ અશુભ ભાવ આવી ગયો હોય, પહેલું આયુષ્ય બંધાઈ ગયું હોય તોપણ ત્યાં જાય પણ એનું – આરાધકનું સ્થાન તો અંતે મોક્ષ જ છે. અને અજ્ઞાનીને વચ્ચે શુભ ભાવ આવે અને તત્ત્વનો વિરાધક છે, જ્ઞાનાનંદ હું નહિ, રાગની એકતાબુદ્ધિવાળો વિરાધક જીવ છે. એ જીવને કોઈ ઝાઝા શુભ ભાવ હોય (તો) સ્વર્ગમાં ભલે જાય પણ એનું સ્થાન તો અંતે નિગોદ છે. વસ્તુ આવી છે. તેમ જેને મનુષ્યપણાનો વ્યસનો કાળ પૂરો થઈ ગયો હોય અને મિથ્યાદૃષ્ટિ છે, સ્વરૂપનો વિરાધક છે તો એ મરીને સીધો નિગોદમાં જાય અને વચમાં કંઈ શુભ ભાવ હોય અને એને લઈને સ્વર્ગમાં જાય પણ અંતે એનું ફળ નિગોદ છે. આહાહા...! જ્યાં એક શરીરમાં અનંતા જીવ પડ્યા છે ત્યાં જાશે. આહા..હા..! વીતરાગમાર્ગ અલૌકિક છે !
અહીં એ કહે છે, “માત્ર જ્ઞાનસ્વરૂપ રહે છે. જોયું ? “વ« જ્ઞાનં અવે' એમ કહે છે. સમ્યક્દષ્ટિ તો રાગને પણ જાણનારો અને પરને પણ) જાણનારો (છે). સ્વને જાણતાં પરનો જાણનારો જ રહે છે. આહા...હા...! આવું કામ આકરું બહુ ! ધર્મીને રાગને પોતામાં નહિ પરિણમાવતો થકો. ધર્માજીવ વિભાવના રાગને પોતામાં નહિ કરતો થકો અને માત્ર જ્ઞાનસ્વરૂપ રહેતો થકો. આહા..હા..! જાણનાર-દેખનાર જ હું છું, એ જ મારી ચીજ છે... આહા...હા...! એવું જેણે જ્ઞાનસ્વરૂપને અનુભવ્યું.
ભાવાર્થ આમ છે કે – સમ્યગ્દષ્ટિ જીવને બાહ્ય-આત્યંતર સામગ્રી જેવી હતી તેવી જ છે....... આહાહા...! “સમ્યફદૃષ્ટિ જીવને બાહ્ય-અત્યંતર સામગ્રી આહાહા...! (અર્થાત) અંદરમાં રાગાદિ હો અને બાહ્યમાં બધી સામગ્રી પડી હોય. પરંતુ રાગાદિ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ નથી, આ..હા..હા..! શું કહે છે ? અત્યંતરમાં પણ હજી રાગાદિ ભલે હો, બાહ્યમાં સામગ્રીના ઢગલા હો પણ તેને રાગની અશુદ્ધતાનું પરિણમન (જી એકત્વ છે એ નથી. આહા...હા....!
મુમુક્ષુ :- રાગ હોવા છતાં એકત્વબુદ્ધિ નથી.
ઉત્તર :- એકત્વબુદ્ધિ નથી. અહીં એ જ સંસારનું કારણ બતાવવું છે. એટલે કીધું ને ? અત્યંતર વિભાવ પણ હો. બાહ્યમાં સામગ્રી હો પણ અંદર વિભાવની એકતાબુદ્ધિ ન હો. આહા...હા...! આવી વાતું છે. દુનિયા કરતાં જુદી જાત છે. આહા...હા...!
બાહ્ય-આત્યંતર સામગ્રી જેવી હતી તેવી જ છે....” જોયું? “પરંતુ રાગાદિ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ નથી રાગની એકતાબુદ્ધિનું અશુદ્ધ પરિણમન નથી એમ. આહા...હા....! ‘તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ નથી.” આહા...હા...! આ...હા...!
'तत: लोकः कर्म अस्तु च तत् परिस्पंदात्मकं कर्म अस्तु अस्मिन् तानि करणानि