SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કલશામૃત ભાગ-૫ (ભુત: પિ) ‘ભોગસામગ્રીને ભોગવતાં અથવા નહિ ભોગવતાં અવશ્ય નિશ્ચયથી જ્ઞાનાવરણાદિ કર્મબંધને કરતો નથી.’ એ ભોગની સામગ્રીમાં હો કે એને ભોગસામગ્રી ન હો. કોઈ પાપના ઉદયે એ સામગ્રી ન હો, પણ એને હવે બંધ નથી. આહા..હા...! ગરીબ માણસ હોય, એને આ સામગ્રી હોય જ નહિ અને હોય સમકતી. આહા..હા...! પચીસપચાસ રૂપિયા મહિને જોતા હોય અને ન મળતા હોય એવો ગરીબ હોય. છતાં હોય રાગથી ભિન્ન પડીને શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ આત્મા ! આહા..હા...! અંદરમાં તવંગર છે, બાદશાહ છે ! કહે છે એને પાપનો ઉદય હોય તો બાહ્ય સામગ્રી ન પણ હોય અને પુણ્યનો ઉદય હોય તો સામગ્રી હોય. બન્ને હો કે ન હો. આહા..હા...! આ...હા..હા..! નિત્યાનંદ દ્રવ્યસ્વભાવ વસ્તુનો શુદ્ધ સ્વભાવ પવિત્ર સ્વભાવ અનાકુળ સ્વભાવ, શાંતરસ સ્વભાવને અનુભવવાનો જેનો સ્વભાવ થયો છે એ જીવને પુણ્યને કા૨ણે સામગ્રીના ઢગલા હો કે પુણ્યને કારણે એ સામગ્રી ન હો, પણ એનાથી એને બંધ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? બન્ને વાત લીધી. આહા..હા..! ‘નિશ્ચયથી...’ આઠ કર્મના બંધને કરતો નથી.' આહા..હા...! સમ્યગ્દર્શનનું માહાત્મ્ય અને સમ્યગ્દર્શનનો વિષય કેવડો છે ? ભગવાન પૂર્ણાનંદ એનો વિષય છે. સમ્યક્દષ્ટિનું ધ્યેય પૂર્ણ આનંદ છે અને પર્યાયમાં પણ આનંદનો અનુભવશીલ સ્વભાવ છે. આહા..હા...! એ કર્મબંધને કરતો નથી. રવિન્ ઉપયોગમૂમિમ્ અનયન” (વીન) અશુદ્ધરૂપ વિભાવપરિણામોને’ રાગ (શબ્દનો) અર્થ કર્યો. જેટલું અશુદ્ધ પરિણમન છે પુણ્ય ને પાપ ને રાગ અને દ્વેષનું... આહા...હા...! તેના વિભાવપરિણામોને (ઉપયોગભૂમિમ્) ‘ચેતનામાત્ર ગુણ પ્રત્યે નહિ પરિણમાવતો થકો...' આ..હા...! વિકારને આત્માની સાથે નહિ પરિણમાવતો થકો. આહા..હા...! મિથ્યાદૃષ્ટિ ત્રિકાળી સ્વભાવ સાથે વિકારને પરિણમાવતો થકો. એ મિથ્યાષ્ટિ અનંત સંસારના બંધનને કરે છે. સમ્યગ્દષ્ટિ... આહા..હા...! છે ? રાગાદિ પરિણામને પોતાની ભૂમિકામાં ચેતનામાત્ર ગુણ પ્રત્યે નહિ પરિણમાવતો થકો... આહા..હા...! રાગને ભિન્ન રાખતો થકો. અહીં તો રાગને ભિન્ન રાખે છે ઈ એનું કામ નથી કહે છે. અહીં તો રાગને ચેતનાસ્વભાવ સાથે નહિ પરિણમાવતો થકો. બસ ! આ..હા...! એકપણે નહિ કરતો થકો. અસ્થિરતાનો રાગ હોય છતાં સમ્યકૂષ્ટિ રાગને ચૈતન્ય સ્વભાવ સાથે એક નહિ કરતો થકો. આહા..હા...! આવું છે. આવી વાત સાંભળવા મળે નહિ, સાંભળે નહિ એ બિચારા ક્યાં જાશે ? આ..હા...! બે વાત છે. એક તો તત્ત્વનો વિરોધ કરનારાઓને નિગોદસ્થાન છે. વચમાં કોઈ શુભ ભાવ હોય (અને) સ્વર્ગમાં ભલે જાય. અને તત્ત્વના આરાધક જીવને મોક્ષસ્થાન છે. વચમાં ભલે કોઈ અશુભ ભાવ હોય અને ભલે નરકમાં જવું પડે. એ શુભાશુભ ભાવ છે ઈ ગતિનું
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy