________________
૬
કલશામૃત ભાગ-૫
લઈને સામગ્રી (મળે), અબજો સામગ્રી હોય ત્યાં એને પ્રેમ આવતો નથી. આહા..હા...! અને અશાતાના ઉદયને લઈને, ઈ હવે કહેશે (કે) ઘોર વેદના (આવે), કોઈ વાત કરે કે, હવે આ વેદના શરીરમાં આવશે એવું સાંભળીને પણ સમ્યક્દષ્ટિને ભય થતો નથી.
ત્રણલોકના દેવ – સ્વર્ગના ભવનપતિના, વ્યંતરો, રાજા, શેઠિયાઓ જેનું નામ સાંભળે કે, એવો રોગ આવવાના લક્ષણ દેખાય છે કે આખા શરીરમાં એળ્યું (–ઇયળો) પડશે. એવું સાંભળીને કહે છે કે, જગતના પ્રાણી પોતાની દશાને છોડી નથી શકતા, ભયમાં આવી જાય છે. સમ્યક્દષ્ટિ એવી વાત સાંભળતાં પણ મારું ‘વપુ’ શરી૨ – જ્ઞાનશરીરને કોઈ રોગ આવતો જ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? ઈ કહે છે.
‘સમ્યહૃષ્ટય: વ રૂતું માહમમ્ તું ક્ષમત્તે’ ‘સમ્યક્દષ્ટિ...' આ નિશ્ચય સમ્યષ્ટિની વાત છે, હોં ! વ્યવહાર સમ્યગ્દર્શન એ કોઈ સમ્યગ્દર્શન નથી. એ તો રાગમાં વ્યવહાર કરીને આરોપિત કર્યાં છે. વ્યવહાર સમ્યગ્દર્શન તો એક રાગ છે પણ નિશ્ચય સમકિતનો ત્યાં આરોપ દઈને વ્યવહાર સમકિત કહ્યું છે. એ (સકિત) છે નિહ. આ જે સભ્યષ્ટિ છે (એ) નિશ્ચય છે. આ..હા..હા...! પૂર્ણ આનંદસ્વરૂપ ભગવાનના જેને ભેટા થયા, અનુભવ થયો છે. આહા..હા...! ભલે ગૃહસ્થાશ્રમમાં હો.
કહે છે કે, સમ્યગ્દષ્ટિ અર્થાત્ સ્વભાવગુણરૂપ પરિણમ્યો છે જે જીવરાશિ... આહા..હા...! સમકિતષ્ટિ એક જ નથી. અસંખ્ય સમ્યક્દષ્ટિ છે. સિદ્ધ અને કેવળી અહીંયાં લેવા નથી, એ તો અનંત છે. આ તો સભ્યષ્ટિ જીવરાશિ. તિર્યંચમાં પણ અસંખ્ય સમ્યક્દષ્ટિ છે ! પશુમાં ! આ..હા..હા...! સ્વર્ગમાં પણ અસંખ્ય સમકિતી છે, નરકમાં અસંખ્ય સમકિતી છે. સાતમી નરકમાં પણ છે. આહા..હા...!
એવા સમ્યષ્ટિ જીવની રાશિ ! શું છે ? એ તો સ્વભાવગુણરૂપ પરિણમ્યો છે. આહા...હા...! પુણ્ય અને પાપના વિભાવરૂપનું પરિણમન જેને છૂટી ગયું છે. અત્યારે દૃષ્ટિની અપેક્ષાએ વાત છે ને ? એ વિભાવ પરિણમન જ્ઞાતામાં જાય છે, એને જાણે. એટલે કે જેને શુદ્ધ સ્વભાવનું પરિણમન થયું છે. કેમકે આત્મા પવિત્ર અને શુદ્ધતાનો પિંડ છે. એના જેને દર્શન થયા, એની પ્રતીત થઈ, તેનું જ્ઞાન કરીને શ્રદ્ધા થઈ તે શુદ્ધરૂપે પરિણમ્યો છે. આહા..હા...! આવી વાતું !
એ છ ખંડના રાજમાં પડ્યો હોય. અત્યારે સમ્યક્દૃષ્ટિ અને એનો વિષય અખંડની અપેક્ષાએ ઈ શુદ્ધપણે જ પરિણમ્યો છે. સમજાણું કાંઈ ? એ અશુદ્ધપણે પરિણમતો જ નથી એમ અહીં કહે છે. અશુદ્ધપણું છે એને જાણે છે. એ જ્ઞાનસ્વભાવ શુદ્ધપણે પરિણમે છે. પણ એનો અર્થ એવો ન લેવો કે, અશુદ્ધ છે તો એને બિલકુલ અશુદ્ધતાનું વેદન જ નથી. જ્ઞાનથી જ્યારે જ્ઞાન જાણે (ત્યારે) ત્રિકાળીને પણ જાણે, નિર્મળ પર્યાયને જાણે અને મિલનને પણ મારામાં છે એમ જાણે. આહા..હા...! સમજાણું કાંઈ ?