________________
કળશ-૧૬૪
૧૬ ૭ જાવું હતું ને ? રસ્તામાં બધા નીકળ્યા. એક જણાએ મોટું નવું મંદિર કર્યું ને ? ત્યાં બધા માળા લઈને જાતા હશે. ફૂલમાળા ! છોકરો જુવાન ! સાધુ ભેગા હતા. એ લોકોમાં રિવાજ (એવો કે) અડધું ઉઘાડું રાખે. સાધુ લૂગડું પહેરે ને ? એક બાજુ અડધું ઉઘાડું રાખે.
મુમુક્ષુ – ઈ નગ્નપણાનો પુરાવો છે.
ઉત્તર :- મારે ઈ જ કહેવું છે. નગ્નપણામાંથી શ્વેતાંબર નીકળ્યા છે ત્યારે એટલું જરી ચિહ્ન રાખ્યું. સ્થાનકવાસીને તો ઈ પણ ન મળે. ઈ બધા નીકળ્યા હતા. એક બાજુ ઉઘાડુ રાખે. છે ને ઈ ? મૂળ તો ઈ દિગંબરની શૈલીનો ભાગ આ રીતે રાખ્યો. મૂળ માર્ગ તો દિગંબર જ હતો. આહાહા...! વસ્ત્ર રાખવું એ મુનિનો માર્ગ જ જૈનધર્મમાં નથી. સમજાણું કાંઈ ? એમ કહ્યું ને ? જમ્યા પ્રમાણે રૂ૫ ભાખ્યું. બે ઠેકાણે આવે છે. ભગવાને તો જભ્યા પ્રમાણે મુનિનું રૂપ ભાખ્યું છે. વસ્ત્રસહિતનું રૂપ ઈ મુનિપણું છે જ નહિ, વ્યવહાર મુનિપણું પણ નથી. આહાહા...! આવું છે, બાપુ ! શું થાય ? એકે (એમ) ખેંચ્યું કે, પુણ્યના દયા, દાનના પરિણામ ધર્મ છે. ત્યારે બીજાએ ખેંચ્યું કે, સમ્યક્દષ્ટિને ગમે એવો રાગ થાય પણ બંધનું પણ કારણ નથી. એમ નથી. અહીંયાં તો અનંત સંસારની વૃદ્ધિનું કારણ મિથ્યાત્વ (ગયું) એને બંધ નથી એમ કહ્યું). સમજાણું ? નહીંતર અહીં તો ભોગ લીધા છે. જુઓ ! છે ? આ...હા...!
જો રાગાદિ અશુદ્ધ ભાવ છે તો કર્મનો બંધ છે, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી;.” એને ઇન્દ્રિયો અને મનનો ભોગ બિલકુલ બંધનું કારણ નથી કહે છે. આવી વાતું છે. અલ્પ બંધ અને સ્થિતિની ગણતરી ન ગણી અને સમ્યક્દૃષ્ટિને પણ જ્યારે ભવિષ્યનો ભવનો બંધ પડે તો અશુભ ભાવ વખતે એને ભવનો બંધ ન પડે. એટલું સમ્યગ્દર્શનનું બળ છે ! ભવિષ્યનો બંધ પડે, જ્યારે શુભ ભાવ આવે ત્યારે સ્વર્ગનો નવો બંધ પડે. અથવા નારકી અને તિર્યંચ સમ્યક્દષ્ટિને સ્વર્ગમાં રહેવું હોય તો શુભભાવ આવે ત્યારે બંધ પડે. સમકિતીને અશુભ ભાવ હોય છે પણ એ વખતે ભવિષ્યના ભવનો બંધ ન પડે. સમજાણું કાંઈ ? આહા...હા...! એટલું સમ્યગ્દર્શનનું – શ્રદ્ધાનું જોર છે ! ભાવ તો શુભ-અશુભ બન્ને આવે. પણ એને અશુભ ભાવ વખતે ભવબંધ નથી. એને ગતિનો બંધ નહિ. ગતિનો એટલે ભવનો હોં ! ગતિબંધ પડે. સમયે સમયે નારક આદિ ગતિનો બંધ પડે પણ ભવનો બંધ નહિ. આહા..હા.... જ્યારે એને શુભ ભાવ થશે ત્યારે એને અહીં સ્વર્ગનો બંધ પડશે. એમ નારકીને શુભ ભાવ આવે ત્યારે મનુષ્યનો બંધ પડશે. અશુભ ભાવ વખતે મનુષ્યનો ભવ નહિ પડે. આહાહા...!
અહીં ઈ કહે છે, જો રાગાદિ અશુભ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો સહારો કાંઈ નથી.” આહાહા...! કામણવર્ગણાથી બંધ હોય તો સિદ્ધને (બંધ) હોત. મન-વચન-કાયાથી બંધ હોય તો કેવળીને હોત. પાંચ ઇન્દ્રિય અને