SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૬ ૨ ૧૩૩ મધ્ય નથી, જેનો અંત નથી. એનાથી (આદિ-મધ્ય-અંતથી) તે રહિત છે. આહા...હા...! ભગવાન આત્મા..! પર્યાય છે તેની આદિ પણ છે અને પર્યાયનો અંત પણ છે. પણ વસ્તુ જે છે એની આદિ પણ નથી, મધ્ય નથી, અંત નથી. ઉત્પત્તિ નથી, વિનાશ નથી. એ ધ્રુવ આદિ, મધ્ય, અંતથી મુક્ત છે. આહાહા....! એવો જે આ ભગવાન આત્મા ! નિત્યાનંદ પ્રભુ ! આહા...હા...! એ આદિ-મધ્ય-અંતથી રહિત છે. અતીત અતીત એટલે ગયો કાળ. “અનાગત....” એટલે ભવિષ્ય. વર્તમાન. આ વર્તમાન. એ “કાળગોચર શાશ્વત છે.” “તુત્તિ એટલે એનાથી રહિત છે એટલે શાશ્વત છે. આદિ, મધ્ય, અંતથી રહિત છે એટલે શાશ્વત વસ્તુ છે. આહા...હા...! એ શાશ્વત વસ્તુ છે તેની દૃષ્ટિ કરતાં જે સમ્યગ્દર્શન થાય તેમાં એકલું શુદ્ધનું પરિણમન ગણવામાં આવ્યું છે. સમજાણું કાંઈ ? આહા..હા..! આવી વ્યાખ્યા અને આ બધું સમજવું). બહારથી માંડીને બેઠા ! આ સામાયિક કરી ને પડિકમણા કર્યા, દાન કર્યા ને મંદિર બનાવ્યા. બાપુ ! એ તો પુણ્યની ક્રિયા એને કારણે થાય. એમાં રાગની મંદતાવાળો જીવ હોય તો એને શુભ ભાવ – પુણ્ય બંધાય. એ કંઈ ધર્મ નથી કે ધર્મનું કારણ પણ નથી. આહા..હા..! ધર્મ અને ધર્મનું કારણ - ધર્મ એને કહીએ કે જે મિથ્યાત્વ અને રાગ-દ્વેષ રહિત શુદ્ધ પરિણમન થાય તેને ધર્મ કહીએ અને એ ધર્મનું કારણ ત્રિકાળી શાશ્વત દ્રવ્ય (છે). સમજાણું કાંઈ ? આહા...હા...! શું કરીને ? “નામોર વિદિ’ (ન“જીવનું શુદ્ધસ્વરૂપ...” આકાશ જેમ નિર્મળ છે એમ આત્મા શુદ્ધ નિર્મળ સ્વરૂપ (છે) એને ગગન કહ્યો. બીજો અર્થ કર્યો છે કે, આકાશમાં રમે છે. પણ આ ગગન. ‘જીવનું શુદ્ધસ્વરૂપ...” ઈ શુદ્ધ સ્વરૂપ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જ છે. પર્યાયમાં જે અશુદ્ધતા એક ક્ષણની, એક સમયની છે એ સિવાય આખી ચીજ શુદ્ધ જ છે. સમજાણું કાંઈ ? ઈ ત્રિકાળ આનંદનો નાથ પ્રભુ છે. અતીન્દ્રિય આનંદનો સાગર છે. મગજમાં એક એવો વિચાર આવી ગયો. શ્રુતને અનિષ્ક્રિય કીધું છે ને ! “કૃતમ્ ન્દ્રિય ભાઈ ! ‘તત્ત્વાર્થસૂત્રમાં ભલે મન અર્થ કર્યો છે. મનથી. પરમાર્થ શ્રુતજ્ઞાન અનીન્દ્રિય (છે). અંદર જે ભાવકૃત જ્ઞાન (થયું), આત્માના આશ્રયે શુદ્ધ પરિણમન (થયું) એ અનીન્દ્રિય છે. આપણે બપોરે આવી ગયું હતું ને ? એમાં મગજમાં આવ્યું. અનીન્દ્રિમય ભવગાન છે. “તત્ત્વાર્થસૂત્રમાં એમ લીધું કે, “કૃતમ્ મન્દ્રિય અનીન્દ્રિયનો અર્થ ત્યાં મન કર્યો છે. શ્રુતજ્ઞાનમાં મન છે. ઈ વ્યવહારથી વાત કરી. આહાહા....! અને મતિમાં પણ મન અને ઇન્દ્રિય કીધું છે. મન એટલે અનીન્દ્રિય અને ઇન્દ્રિય. અનીન્દ્રિય અને ઇન્દ્રિય જેમાં નિમિત્ત છે. એટલે નિશ્ચયથી તો અનીન્દ્રિય પોતાનો સ્વભાવ અને વ્યવહારથી મનનો, ઇન્દ્રિયનો સંબંધ છે એ વ્યવહાર છે. અંતરમાં મતિ અને શ્રુતજ્ઞાન છે, સ્વ ચૈતન્યના અવલંબે
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy