SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ કલશામૃત ભાગ-૫ અશુદ્ધ છે અને એના રૂપે પરિણમીને નાચે છે અને એ મને લાભદાયક છે એ મિથ્યાત્વભાવ છે. આહા..હા...! સમ્યક્દષ્ટિની વ્યાખ્યા કરીને પછી (જ્ઞાનં ભૂત્વા) (કહ્યું). ‘સમ્યદૃષ્ટિ: જ્ઞાન નૃત્વ એટલે શુદ્ધ સ્વરૂપનું જેને અંત૨ પરિણમન છે એ (જ્ઞાનં ભૂત્વા) (અર્થાત્) સ્વભાવભૂત થઈને પરિણમે છે. જ્ઞાન એટલે આત્મા. (જ્ઞાન મૂત્વા) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ થઈને...’ પોતાના શુદ્ધ સ્વરૂપે... “નતિ” છે ? નતિ એટલે પરિણમે છે, નાચે છે. બહુ વાત (સરસ આવી છે). ધર્મી એને કહીએ, સુખને પંથે ગયો એને કહીએ અને જન્મ-મરણના અંત જેને આવ્યા એને કહીએ કે, જે શુદ્ધ સ્વરૂપે 'નવૃત્તિ’ આહા..હા...! જેવો એનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે એ રૂપે જે નાચે છે એટલે પરિણમે છે. આહા..હા...! આવી વાત છે. 'જ્ઞાનં શ્રૃત્વા નતિ' છે ને ? શુદ્ધ જ્ઞાનસ્વરૂપ...' જ્ઞાનને એ શબ્દ લાગુ પાડ્યો – શુદ્ધ જ્ઞાન. શુદ્ધ જ્ઞાન એટલે શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા થઈને પોતાના શુદ્ધ સ્વરૂપે નાચે છે, પરિણમે છે. આ..હા..! અહીંયાં તો અત્યારે (લોકો) સમ્યક્દષ્ટિની વ્યાખ્યા (એવી કરે કે), સાધારણ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા (હોય તે સમ્યક્દષ્ટ) એમ કરીને બેસે. આહા..હા...! અહીંયાં તો સમ્યક્દષ્ટિને બંધ નથી એમ સિદ્ધ કરશે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો જે બંધ છે એ જ મુખ્ય બંધ સંસા૨ છે. એથી એ જે ભાવ ટળ્યો છે, મિથ્યાત્વ એટલે વિપરીત શ્રદ્ધાનું પરિણમન અને અનંતાનુબંધીનું અસ્થિરતાનું ઉગ્ર પરિણમન, એ જેને ગયું છે એને સમ્યગ્દર્શનમાં નવો મિથ્યાત્વ અને અનંતાનુબંધીથી બંધ થતો હતો એ બંધ થતો નથી. જરી રાગ આદિ હોય છે એને લઈને બંધ પણ છે પણ એ બંધ અલ્પ સ્થિતિ અને અને અલ્પ રસવાળો છે. એથી મુખ્યપણે મિથ્યાત્વ અને અનંતાનુબંધીને લઈને જે બંધન હતું એ બંધન આને નથી તેથી બંધન કરતો નથી એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? અર્થમાં બધું કર્યું છે. આપણે આ ગુજરાતી અર્થમાં બધું કર્યું છે. અવિરતી સમ્યષ્ટિને તમે બંધ નથી કહેતા તો એને ચારિત્રમોહનો ઉદય (તો) છે, રાગ થાય છે. ઘાતિકર્મ છે તો ગુણની પર્યાય પણ કેટલીક ઘાત થાય છે અને એને તમે કહો છો કે બંધન નથી ? કીધું, ભાઈ ! અહીંયાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ભાવને જ બંધનું કારણ ગણ્યું છે. મુખ્ય મિથ્યાત્વ અને અનંતાનુબંધી એ જ સંસાર છે અને એ બંધન છે અને એ જ મિથ્યાત્વ છે, એ આસ્રવ છે. આહા..હા...! એમ (કહ્યું) પણ એથી ગૌણપણે જે રાગાદિ છે તે આસવ છે અને બંધ છે એનો અહીં નિષેધ નથી. પણ એને ગૌણ ગણીને બંધન નથી કહેવામાં આવ્યું છે. આહા..હા...! સમજાણું કાંઈ ? અર્થમાં બધું છે. મૂળ ‘સમયસા૨’(માં) ઘણું લાંબુ લખાણ છે. આ..હા...! અહીંયાં (કહે છે), પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. કેવું છે શુદ્ધ જ્ઞાન ” જ્ઞાન એટલે આત્મા. શુદ્ધ સ્વરૂપ ભવગાનઆત્મા કેવો છે ? ‘આતિમધ્યાન્મતુŕ’ જેની આદિ નથી, જેનું
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy