________________
૧૩૪
કલશામૃત ભાગ-૫
થયેલું તે તો અનીન્દ્રિય જ છે. સમજાણું કાંઈ ? એ તો બપોરે આવ્યું હતું ને ? એને મન અને ઇન્દ્રિયની અપેક્ષા નથી. એવું એ અનીન્દ્રિય જ્ઞાન (છે). અથવા એને મન અને ઇન્દ્રિયથી થયેલા જ્ઞાનની પણ જેને અપેક્ષા નથી. મન અને ઇન્દ્રિયના નિમિત્તથી થયેલું જે ક્ષયોમલમજ્ઞાન એની પણ જેને સમ્યજ્ઞાનમાં અપેક્ષા નથી. સમજાણું કાંઈ ? કેમકે “નિયમસારમાં બીજી ગાથામાં કહ્યું કે, નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન પરમ નિરપેક્ષ છે. સમજાણું કાંઈ ? જે આત્મા અંદર પરમાનંદનો નાથ પ્રભુ એની અનુભવમાં પ્રતીતિ અને એને જ્ઞાન ને એની રમણતા (થઈ) એ નિશ્ચય મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે. એટલે કે એને રાગના વ્યવહારની કોઈ અપેક્ષા છે જ નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ?
અહીંયાં તો એ આવ્યું ને ? (ચીન) શુદ્ધ જીવસ્વરૂપ એક ગગન. આહાહા..! (વિપઢિી) અવગાહે છે), અંદર અવગાહે છે. મન અને રાગનું અવલંબન છોડી... આહાહા..! શુદ્ધ ચૈતન્ય વસ્તુ જે મહાભંડાર ભગવાન નિધાન ! છે? એ શુદ્ધ સ્વરૂપ “અખાડાની નાચવાની ભૂમિ છે. આહાહા...! અખાડો હોય ને ? એમ આ શુદ્ધ સ્વરૂપ ધ્રુવ તે નાચવાની – પરિણમનની ભૂમિકા એ છે. આહા...હા...! આવી વાતું ! કોઈ દિ કરવાનું કાંઈ સૂછ્યું ન હોય ને બહારની વાતુંમાં પડ્યા, એમને એમ મરી ગયા ! આહા...હા...!
કહે છે કે, “જીવનું શુદ્ધસ્વરૂપ છે.” (મોગર) “અખાડાની નાચવાની ભૂમિ...' એટલે શુદ્ધ પરિણમનની એ ભૂમિ છે. આહા...હા..! સમજાણું કાંઈ ? શુદ્ધ જીવ સ્વરૂપ, ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં નાચવાનો એ અખાડો (છે) એટલે પરિણમવાનો એ અખાડો છે. આહાહા.! ભાષા પણ કેવી ? ભગવાન શુદ્ધ ચૈતન્ય ભૂમિ.... શુદ્ધ ચૈતન્ય ભૂમિ ! એને શુદ્ધ પરિણમનની ભૂમિકા એ છે. આહા...! શુદ્ધ પરિણમનનો એ અખાડો છે, એ જગ્યા છે, એ સ્થાન છે. આહાહા..! સમજાણું કાંઈ ? આ તો આવી વાત છે, ભાઈ !
તેને અનુભવગોચર કરીને....? દેખો ! શું કહે છે ? જે આત્મા ધ્રુવ અનાદિઅનંત, આદિ-મધ્ય-અંત રહિત, મુક્ત છે) એ શુદ્ધ પરિણમનની ભૂમિકા – સ્થાન છે. તે સ્થાનને અવગાહીને. આવી વાત છે. (વીટી) છે ને ? (એટલે) અનુભવગમ્ય કરીને. આહા..હા...! જે પ્રભુ આત્મા શુદ્ધ સ્વરૂપે સમ્યફદૃષ્ટિ પરિણમ્યો છે ઈ વાત પહેલી કરી. હવે ઈ શુદ્ધ પરિણમનની ભૂમિ શું ? કે, શુદ્ધ આદિ-મધ્ય-અંતરહિત વસ્તુ. એના ઉપર પરિણમન થાય છે). નાચવાની ભૂમિ એ છે. આહા..હા...! ધ્રુવ વસ્તુ તે નાચવાની પરિણમનની ભૂમિકા છે. આહા..હા....! જન્મ-મરણ (રહિત થવાની રીત તો આ છે. બાકી બધા જન્મ-મરણ કરી કરીને સૌથી નીકળી ગયા, એનો એને થાક લાગતો નથી. આહા..હા....!
ભગવાન પવિત્ર પરિણમનનું સ્થાન – ભૂમિકા તો ત્રિકાળી દ્રવ્ય છે. આહા..હા..! તેવા ત્રિકાળી દ્રવ્યને વિઢિ) એટલે કે અનુભવ કરીને. આહાહા...! ત્રિકાળી ધ્રુવ શુદ્ધ સ્વરૂપ તે શુદ્ધ પરિણમનનો અખાડો – જગ્યા (છે). આહાહા....! તેને વિીિ ) વિશેષે કરીને